ડૉ. કૃપેશ ઠક્કર

ડૉ. કૃપેશ ઠક્કર

ડૉ. કૃપેશ ઠક્કર ભારતીય ગાયક, ગીતકાર, સંગીતકાર, દિગ્દર્શક, મ્યૂઝિક થેરાપીસ્ટ અને બેસ્ટ સેલિંગ લેખક છે. તેઓ કૃપ મ્યુઝિક, કૃપ પ્રોડક્શન્સ, કૃપ ફિલ્મ્સ, કૃપ પબ્લિશિંગ અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંસ્થાપક છે.

તેમના કાર્ય દ્વારા અસંખ્ય વ્યક્તિઓના જીવન પર સકારાત્મક પ્રભાવ પાડતા, લાઈફ કોચ તરીકે તેમની વ્યાપક પ્રશંસા અને સિદ્ધિઓ છે. તેઓ પર્વ ફ્યુઝન બેન્ડના ગિટારિસ્ટ અને લીડ વોકલિસ્ટ પણ છે. તેઓ સુર ગુજરાત કે, સુર હિન્દુસ્તાન કે, ધ મેજિકલ મ્યુઝિશિયન, નચ લે અને ધ ગ્લોબલ ગુજરાત શોના મેન્ટર અને જજ પણ છે.

તેઓ ભારત અને ગુજરાતના સૌથી સર્વશ્રેષ્ઠ મ્યુઝિક થેરાપીસ્ટ તરીકે પણ જાણીતા છે. લેખક તરીકે, ડૉ. કૃપેશે બેસ્ટ સેલર નવલકથા શ્રેણી “ભગવદ ગીતા ફોર લાઈફ”, “જીવન મેં ગૂંજે ગીતા” તેમજ “ધ લવ ગાથા” લખી છે. તેમના જાણીતા પુસ્તકો અર્જુન ઉવાચ: અધ્યાત્મિક જાત્રા, અર્જુન ઉવાચ: ધ સ્પિરિચ્યુઅલ યાત્રા, અર્જુન ઉવાચ: મા પર્વ, ક્યા છે કાનો?: લીરીક્સ બુક તેમજ અધુરા પ્રેમની કહાની છે. તેમના પુસ્તકો કૃપ પબ્લિશિંગ દ્વારા વિશ્વભરમાં પ્રકાશિત થાય છે.

ફેસ્ટિવલ ડિરેક્ટર તરીકે, તેઓ વિશ્વના સૌથી લાંબા સમય સુધી ચાલતા સાહિત્ય ઉત્સવ “કૃપ લિટરેચર ફેસ્ટિવલ”નું નેતૃત્વ કરી રહ્યા છે.

સમાચાર

કલા થકી સનાતન સંસ્કૃતિના પ્રચાર માટે નીકળેલા પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા

કલા થકી સનાતન સંસ્કૃતિના પ્રચાર માટે ગુજરાતની યાત્રાએ નીકળેલા કચ્છી બાળ કલાકારને સત્કર્મ કરવા બદલ મુખ્યમંત્રીએ આશીર્વાદ આપ્યા હતા.

Read More
સમાચારગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસાહિત્ય

મા પર્વમાં દેવી સ્વરૂપ વૃદ્ધાશ્રમની માતાઓનું થયું પૂજન | અર્જુન ઉવાચ : મા પર્વ

ગિવ વાચા ફાઉન્ડેશન કૃપ મ્યુઝીક તથા ઇઝી આઈડી ના સંયુક્ત ઉપક્રમે ‘મા પર્વ’ નિમિતે શ્રીહરિ શાંતિનિકેતન વયસ્ક વિશ્રામ સ્થાન ખાતે દેવી પૂજાનું આયોજન થયું.

Read More
સમાચારધર્મ/અધ્યાત્મ

મા પર્વ અંતર્ગત ગૌ માતા સમક્ષ ગૂંજી ગીતા | ગાવો વિશ્વાસ્ય માતર:

હાલમાં ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા વ્રજ ગૌશાળામાં ગૌ માતા સમક્ષ ગૂંજે ગીતાનો કાર્યક્રમ યોજાયો તથા બાળકોને ગૌ પૂજનના સંસ્કાર શીખવવામાં આવ્યા.

Read More
સમાચારગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસાહિત્ય

માતૃ પૂજા સાથે વૈશ્વિક મા પર્વ નું કચ્છ ખાતે શુભારંભ | અર્જુન ઉવાચ: મા પર્વ

ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીકના સંયુક્ત ઉપક્રમે માતૃ પૂજા સાથે અંજારના ગિવ વાચા સેન્ટર ખાતે મા પર્વ ૨૦૨૩ ની શરુઆત થઇ.

Read More
ધર્મ/અધ્યાત્મગુજરાતી મિજાજ વિશેષમનોરંજનસમાચાર

રામનવમી નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ગીતનું થયું લોકાર્પણ

ગિવ વાચા ફાઉન્ડેશન અને જી.એલ.સી.સી. કચ્છના સંયુક્ત ઉપક્રમે ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ગીત તૈયાર થયું. જેનું લોકાર્પણ સંસ્કૃત ભારતીના કાર્યક્રમમાં ભુજ ખાતે કરવામાં આવ્યું.

Read More
સમાચારસાહિત્ય

‘વર્લ્ડ પોએટ્રી ડે પર્વ’ નિમિતે ડૉ. કૃપેશના ‘અર્જુન ઉવાચ-ધ સ્પિરિચ્યુઅલ યાત્રા’ પુસ્તકનું થયું લોકાર્પણ

ગીવ વાચા ફાઉન્ડેશન, અને કૃપ મ્યુઝિક જયારે ગ્લોબલ લીટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) અંતર્ગત કચ્છ ખાતે વિવિધ કાર્યક્રમો કરી રહ્યું છે ત્યારે ૨૧ માર્ચ ના રોજ ‘વર્લ્ડ પોટ્રી ડે પર્વ’ નિમિતે ભુજના ટેન-ઈલેવન લોન્જ ખાતે ડૉ. કૃપેશ ઠક્કરના ‘અર્જુન ઉવાચ-ધ સ્પિરિચ્યુઅલ યાત્રા’ પુસ્તકનું કાર્યક્રમ અધ્યક્ષ શ્રી શંકરભાઈ સચદે, કચ્છ યુનિવર્સીટીના પ્રથમ કુલપતિ ડૉ. કાન્તીભાઈ ગોર, પ્રખ્યાત સાહિત્યકારો શ્રી પબુભાઈ ગઢવી, શ્રી મદનકુમાર અંજારિયા, શ્રી જયંતીભાઈ જોશી, ડૉ. રમેશ ભટ્ટ તથા ગીવ વાચાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર, કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડૉ. પુજાબેન ઠક્કર અને શ્રીમતી નિશાબેન ઠક્કરના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

Read More