સાહિત્ય

કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસાહિત્ય

વામન જયંતી નું મહત્વ, પૂજા વિધિ અને પૌરાણિક કથા | ભગવાન વિષ્ણુએ શા માટે લીધો વામન અવતાર? | પર્વની પાઠશાળા

ભાદરવા મહિનાની શુક્લ પક્ષની બારમી તિથિ એ ઉજવાય છે ‘વામન જયંતી’, કે જે ‘વામન દ્વાદશી’ ના નામે પણ ઓળખાય છે. ભાગવત મહાપુરાણ અનુસાર ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુ વામન અવતાર લઈને દેવમાતા અદિતીના ગર્ભથી પ્રગટ થયા હતા. માટે એમના પ્રાગટ્ય દિવસને વામન જયંતી રૂપે ઉજવવામાં આવે છે. ‘પર્વની પાઠશાળા’ માં અગાઉ જ્યારે દેવશયની એકાદશી પ્રસંગે આપણે વામન ભગવાનનો થોડો પરિચય મેળવ્યો ત્યારે તેમના જન્મદિવસ પ્રસંગે વિસ્તારથી પરિચય મેળવીશું.

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસાહિત્ય

ગણેશ ચતુર્થીનો ઈતિહાસ, મહત્વ, કથા અને વ્રત કથા | ગણેશ ચતુર્થી શા માટે ઉજવાય છે? | પર્વની પાઠશાળા

હિન્દુ ધર્મમાં પ્રમુખ દેવતાઓ માંથી એક એટલે ગણેશ અને તેમનો જન્મદિવસ એટલે કે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી એ જ ‘ગણેશ ચતુર્થી’. આમ તો તેમના બાર, એકસો આઠ અને એક હજાર આઠ નામ છે. પરંતુ મુખ્ય રૂપથી તેઓ સર્વે દેવગણના ‘ઇશ’ એટલે ગણેશ, દેવ ગણોના અધિપતિ એટલે ‘ગણપતિ’, વિઘ્નને હરનારા ‘વિઘ્નહર્તા’ અને નાના-મોટા સૌના લાડીલા ‘ગણપતિ બપ્પા’ એમ વિવિધ નામો થી ઓળખાય છે. તેમના દરેક નામનો વિશિષ્ટ અર્થ અને વિશિષ્ટ મહિમા છે. કોઈ પણ પ્રાંત હોય, રાજ્ય હોય કે કોઈ પણ સંપ્રદાય; ભગવાન ગણેશ સર્વાનુમતે દરેક શુભ કાર્ય પહેલા પૂજાય છે. સનાતન સંસ્કૃતિ માં તેમનું આગવું સ્થાન છે. એટલે જ ‘ગણેશ ચતુર્થી’ ફક્ત એક પર્વ નહીં પણ પરંપરા છે એમ કહી શકાય. કે જે વર્ષોથી ચાલતી આવી છે. પર્વની પાઠશાળા માં આપણે જાણીશું ‘ગણેશ ચતુર્થી’ નું મહત્વ અને તેમના જન્મની કથા!

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

કચ્છના રમણીય સ્થળોની વાતો કરશે લેખિકા અરુણા ઠક્કર ‘ધન્ય ધરા ગુજરાતની’ કૉલમમાં

‘ગુજરાતી મિજાજ’ દ્વારા વિશ્વભરના કચ્છી અને ગુજરાતી લેખકોને કલમ થકી વૈશ્વિક સ્તરે ભાષાની સેવા કરવા માટે અવસર મળી રહ્યો છે ત્યારે આગામી કૉલમ માટે ગુજરાતી મિજાજની ચયન કમિટી દ્વારા ભુજ કચ્છના લેખિકા અરુણા ઠક્કર ની પસંદગી ‘ધન્ય ધરા ગુજરાતની’ કૉલમ માટે કરવામાં આવી છે. તેઓ પોતાની કલમ થકી ‘કચ્છ દર્શન’ કૉલમ અંતર્ગત કચ્છના ઐતિહાસિક, ધાર્મિક અને રમણીય સ્થળો વિષેની માહિતી અને રોચક વાતો કરશે. આ કૉલમ માં એ સ્થળોનું મહત્વ તેમજ તેમના અસ્તિત્વ સાથે જોડાયેલી કથાઓ અને કિસ્સાઓ પણ જોવા મળશે. આ પ્રસંગે ગુજરાતી મિજાજની ચયન કમિટીના પ્રતિનિધિએ જણાવ્યું કે “ધન્ય ધરા ગુજરાતની કૉલમ થકી અમે વિશ્વભરમાં વસતા ગુજરાતી લોકો સુધી શબ્દોને મારફતે ગુજરાતની માટીની મહેક પહોંચાડીશું. ઘર બેઠા જ તેઓ ગુજરાતની ગરિમા સમાન સ્થળો વિષે જાણીને વાંચન થકી વિહાર કરી શકે એ ઉદેશ્યથી આ કૉલમ પ્રકાશિત કરીએ છીએ. આ કૉલમમાં વિવિધ લેખકો સાથે મળીને ગુજરાતની ધરોહરની વંદના કરશે. આ શબ્દ યાત્રામાં ભુજ કચ્છના લેખિકા અરુણાબહેન ઠક્કરને અમે આવકારીએ છીએ. તેમની કલમ સાથે વાચકોને કચ્છ દર્શન કરવાનો અનેરો લ્હાવો મળશે.”

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસાહિત્ય

જન્માષ્ટમી ની તિથિ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ | જન્માષ્ટમી ક્યારે ઉજવવામાં આવશે? | કૃષ્ણ જન્મની કથા | પર્વની પાઠશાળા

ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમી! આ ‘જન્મ અષ્ટમી’ એટલે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમી તિથિ, કે જ્યારે કૃષ્ણનો જન્મ થયો. આ દિવસને ‘ગોકુળ આઠમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જગદગુરુ ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ ફક્ત ભારત દેશ કે ફક્ત હિંદુઓ પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં વસતા વિવિધ ધર્મ અને સંપ્રદાયના કૃષ્ણ પ્રેમીઓ આ પર્વને ધામધૂમથી ઉજવે છે. પર્વની પાઠશાળામાં આપણે જાણીશું આ ભવ્ય તહેવાર વિશે ની રોચક વાતો અને કૃષ્ણ જન્મની કથા સાથે જોડાયેલા ચમત્કારો અને સંદેશ!

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

વરિષ્ઠ સાહિત્યકાર શ્રી મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ એ આપી ‘ગુજરાતી મિજાજ: ગુજરાતી સાહિત્ય સંગીત પર્વ’ ને વિશેષ શુભેચ્છા

ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, ઇઝી આઈડી અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ કલબ દ્વારા વિશ્વના સૌથી લાંબા ગુજરાતી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ ‘ગુજરાતી મિજાજ’ નો શુભારંભ કચ્છ ખાતે થયું ત્યારે કચ્છના વરિષ્ઠ સાહિત્યકાર શ્રી મદનકુમાર અંજારિયા એ ફેસ્ટિવલ ડાયરેક્ટર ડૉ. કૃપેશ ઠક્કર અને ડૉ. પૂજા ઠક્કર ને વિશેષ શુભેચ્છા સાથે આશીર્વાદ આપ્યા. ‘ગુજરાતી મિજાજ’ ની છબીનાં અનાવરણ સાથે તેમણે આ સાહિત્ય સંગીત પર્વના ભવ્ય આયોજનની સરાહના કરી.

Read More
કૉલમ: હુંકાર કરસાહિત્ય

આરાધ્યા | Child Abuse Awareness Story | હુંકાર કર

શ્રુતિ તેની સાત વર્ષીય દીકરી આરાધ્યાને લઈને સ્કૂલેથી ઘરે આવી રહી હતી. એક હાથે આરાધ્યાનો હાથ પકડ્યો હતો અને બીજા હાથે એનો બેગ. બન્ને હળવે હળવે ચાલી રહ્યા હતા. આરાધ્યા ગુમસુમ અને શાંત હતી; પણ શ્રુતિના મનમાં ઘણી ઉથલ પાથલ થઇ રહી હતી. તેને પોતાની પરવરિશ પર પૂર્ણ વિશ્વાસ અને અભિમાન હતો. આરાધ્યાને લઈને તેને મહત્વકાંક્ષાઓ હતી. જેનાં પર તેની શિક્ષિકાના શબ્દો એ પાણી ફેરવી દીધો. PTM દરમિયાન આરાધ્યાની શિક્ષિકા એ જે કંઈ પણ ફરિયાદ કરી હતી, તે હજુ પણ તેના મનમાં ચાલી રહી હતી. તે પોતાની વ્યગ્રતા પર નિયંત્રણ ના રાખી શકી અને બોલી…

Read More
સમાચારગુજરાતી મિજાજ વિશેષસાહિત્ય

ગુજરાતી મિજાજ અંતર્ગત લેખિકા અરુણા ઠક્કરના પુસ્તક ‘લટઈ’ નું થયું વિમોચન

ગુજરાતી મિજાજ: ગુજરાતી સાહિત્ય સંગીત પર્વ અંતર્ગત અનેકવિધ પ્રવૃત્તિઓ થઇ રહી છે ત્યારે કચ્છના પુરસ્કૃત લેખિકા શ્રીમતી અરુણાબેન ઠક્કર ના ‘લટઈ – ૨’ ઈ-બુકને કૃપ પબ્લિશિંગ દ્વારા વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યું. ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા ભુજ ખાતે આ પુસ્તકનો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બેસ્ટ સેલર લેખક ડો. કૃપેશ ઠક્કર, પુરસ્કૃત બાળ સર્જકો વાચા ઠક્કર અને પર્વ ઠક્કર તથા લેખિકા ડો. પૂજા ઠક્કરને હસ્તે પુસ્તકના મુખપૃષ્ઠનું અનાવરણ થયું. આ કાર્યક્રમમાં ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ કલબના સદસ્યો તથા કૃપ પબ્લિશિંગના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

‘ગુજરાતી મિજાજ’ અંતર્ગત ડી.વી. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ માણ્યું ‘અર્જુન ઉવાચ’ મોટિવેશનલ સેમિનાર

ગિવ વાચા ફાઉન્ડેશન, ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ, કૃપ મ્યુઝિક અને ઇઝી આઈ ડી દ્વારા આયોજિત ‘ગુજરાતી મિજાજ: ગુજરાતી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ’ ની દ્વિતિય આવૃત્તિનો શુભારંભ થયો છે ત્યારે આ પર્વના બીજા દિવસે અંજારની શેઠ ડી.વી. સરકારી ઉ. મા. શાળા ખાતે ‘અર્જુન ઉવાચ’ મોટિવેશનલ સેમિનારનું આયોજન થયું. જેમાં ગુ. શિ. સેવા વર્ગ-૨ ના આચાર્યા શ્રીમતી સુનિતાબેન દરિયાણી, સુપરવાઈઝર શ્રી ઉમેશભાઈ વ્યાસ અને વહીવટી વડા શ્રી ભરતસિંહ જાડેજા એ ગીતકાર, સંગીતકાર અને બેસ્ટ સેલર લેખક ડૉ. કૃપેશ ઠક્કર સાથે આયુર્વેદ તબીબ અને લેખિકા ડૉ. પૂજા ઠક્કરનું સ્વાગત સત્કાર કર્યું.

Read More
કૉલમ: પર્વની પાઠશાળાધર્મ/અધ્યાત્મસાહિત્ય

રક્ષાબંધન ક્યારે છે? | રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત | શા માટે ઉજવાય છે રક્ષાબંધન? | પર્વ ની પાઠશાળા

વિશ્વભરમાં વસતા હિન્દુઓને એક તાંતણે બાંધી રાખતો પર્વ એટલે ‘રક્ષાબંધન’. શ્રાવણ માસની પૂર્ણિમા એ ઉજવાતો આ પર્વ ‘રાખડી પૂનમ’ અને ‘રાખી તહેવાર’ નામે પણ ઓળખાય છે. એક ભાઈ અને બહેનના વિશિષ્ટ પ્રેમના પ્રતિક એવો આ તહેવાર પૌરાણિક કાળથી ઉજવાતો આવે છે. દેવોના રાજા ઇન્દ્ર અને ઇંદ્રાણી હોય કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અને દ્રૌપદી! કાચા દોરા સાથે અતૂટ રક્ષાનું વચન પાળવાની એ પ્રથા આજે પણ અકબંધ છે. રક્ષાની એ દોરીએ ઇન્દ્રને યુદ્ધમાં વિજય અપાવી તો દ્રૌપદીના સન્માનની રક્ષા પણ કરી.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

વિશ્વના સૌથી લાંબા ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ ‘ગુજરાતી મિજાજ: ગુજરાતી સાહિત્ય સંગીત પર્વ’ નો કચ્છ ખાતે થયો આરંભ

વિશ્વના સૌથી લાંબા ચૌદ દિવસીય ગુજરાતી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ ‘ગુજરાતી મિજાજ’ ની બીજી આવૃત્તિનો શુભારંભ ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, કૃપ પબ્લિશિંગ, ઇઝી આઈ ડી તેમજ ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) દ્વારા ભુજના ‘ક્રિએટિવ કોન્સેપ્ટ કોચિંગ સેન્ટર’ ખાતે થયો. આ ઉત્સવ 11 ઓગસ્ટથી શરૂ થઈ 24 ઓગસ્ટ ગુજરાતી ભાષા દિવસ સુધી ઉજવાય છે. આ પ્રસંગે ગીતકાર, સંગીતકાર અને લેખક ડૉ. કૃપેશ ઠક્કર, લેખિકા અને ફિલ્મ નિર્માતા ડૉ. પૂજા ઠક્કર, પુરસ્કૃત બાળ સર્જકો પર્વ ઠક્કર અને વાચા ઠક્કર તેમજ જી.એલ.સી.સી. ભુજના પ્રમુખ પુરસ્કૃત લેખિકા અરુણાબેન ઠક્કર સાથે પ્રોજેક્ટ કોર્ડીનેટર અંકિતબેન ઠક્કર અને બિંદીબેન ઠક્કર એ ‘ગુજરાતી મિજાજ’ ની છબીનાં અનાવરણ સાથે આ પર્વનું શુભારંભ કર્યું.

Read More