આરોગ્ય

આરોગ્યગુજરાતી મિજાજ વિશેષસમાચાર

ડૉ. કૃપેશ ઠક્કર ગિટાર અને ગીતા લઈ ‘મ્યુઝિક થેરપી ફોર ઓલ’ અભિયાન માટે કરે છે ભારત ભ્રમણ!

એક તરફ જ્યાં માનસિક તણાવ, ડિપ્રેશન અને આપઘાતના કિસ્સાઓ વૈશ્વિક સમસ્યા બન્યા છે. ત્યારે ‘વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ’ થી ડૉ. કૃપેશ ઠક્કર ‘અર્જુન’ એ સંગીતની મદદથી સર્વાંગી સ્વાસ્થ્ય જાળવવા માટે ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ થકી સેવાનો અભિયાન શરૂ કર્યો છે. કે જેમાં તેઓ 50 દિવસ સુધી ભારતના દિલ્લી, મુંબઈ, બેંગલોર, અયોધ્યા, વૃંદાવન, મથુરા સહિતના 25થી પણ વધુ શહેરોમાં એક મિશન ‘લેટ ધ મ્યુઝિક હિલ’ સાથે વ્યક્તિગત અને સામૂહિક મ્યુઝિક થેરાપીના સેશન થકી ઉંમર, જાતિ કે સામાજિક ભેદભાવ વિના મનુષ્ય, પ્રકૃતિ અને પ્રાણીઓની સેવા કરી રહ્યા છે.

Read More
આરોગ્યગુજરાતી મિજાજ વિશેષસમાચાર

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ થી ડૉ. કૃપેશ એ માતૃભૂમિ કચ્છથી શરૂ કરી ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’.  

તા. ૧૦ ઓકટોબર, ૨૦૨૪ ના રોજ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ પ્રસંગે ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ નું અંજાર કચ્છના કૃપ ગુરુકુલથી શુભારંભ થયું છે. જેમાં ભારતના બેસ્ટ મ્યુઝિક થેરાપીસ્ટ તરીકે જાણીતા ડૉ. કૃપેશ ઠક્કર ‘અર્જુન’ મ્યુઝિક થેરાપીની સ્વાસ્થ્ય પર થતી હકારાત્મક અસરોથી અવગત કરાવવા ૫૦ દિવસમાં ભારતના ૨૫ શહેરોમાં એક મિશન ‘લેટ ધ મ્યુઝિક હિલ’ સંગીતથી સારવારની પહેલ લઈને  ‘વસુધૈવ કુટુંબકમ’ ની ભાવના સાથે આગેકૂચ કરી છે.

Read More
આરોગ્યગુજરાતી મિજાજ વિશેષસમાચાર

અષ્ટમીના શુભ અવસરે કુમારીકાઓ ના આશીર્વાદ સાથે થયું ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ નું પ્રથમ સત્ર

હાલમાં જ્યારે ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ હેલ્થ દ્વારા આયોજિત ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ ની પચાસ દિવસ-પચ્ચીસ શહેરો અને એક મિશન ‘લેટ ધ મ્યુઝિક હિલ’ ની ભારત યાત્રાનો કચ્છથી શુભારંભ થયો છે. ત્યારે પ્રથમ દિવસે મ્યુઝિક થેરાપીનો પ્રથમ સત્ર અંજારના અહલ્યા કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ સાથે યોજાયો.

Read More
આરોગ્યકૉલમ: આયુર્વેદની અટારીગુજરાતી મિજાજ વિશેષ

આપની પ્રકૃતિ કઈ છે? વાત, પિત્ત કે કફ? |સ્વસ્થ રહેવા માટે પહેલા આપણી પ્રકૃતિ ઓળખતા શીખીએ. | આયુર્વેદની અટારી

શરીર, મન અને આત્માનું વિજ્ઞાન એટલે આયુર્વેદ. કે જેમાં આ ત્રણેય તત્વોની સુસાધ્યતા થકી સ્વસ્થ અને દીર્ઘાયુ રહી શકાય એનું રહસ્ય છે. આ ત્રણ તત્વોમાં વાત, પિત્ત અને કફ એ પ્રકૃતિના ત્રણ દોષ છે જે સ્વાસ્થ્ય જાળવી રાખે છે. હવે કોઈ કારણસર જ્યારે આ દોષની અસુમતુલા સર્જાય ત્યારે એ કોઈને કોઈ રોગના સ્વરૂપે બહાર આવે છે. માટે આયુર્વેદ પ્રાથમિકપણે રોગના લક્ષણો કરતાં તેના ઉદ્ભવના કારણ પર મુખ્યરૂપથી કાર્ય કરે છે. ‘આયુર્વેદની અટારી’ થકી આપણે આયુર્વેદની પ્રાથમિક સમજ મેળવી અને સ્વસ્થ રહેવા અને રોગ નિવારવા માટેના ઉપાયો જાણીશું. 

Read More
આરોગ્યકૉલમ: આયુર્વેદની અટારીગુજરાતી મિજાજ વિશેષ

સ્વસ્થ રહેવા આયુર્વેદિક ઉપચારની સમજણ આપશે ડૉ. પૂજા ઠક્કર ‘આયુર્વેદની અટારી’ કૉલમમાં

વૈશ્વિક સ્તરે ભાષા અને સાહિત્ય થકી સેવા કરવા અમેરિકાથી સંચાલિત વેબ પોર્ટલ ‘ગુજરાતી મિજાજ’ પર લેખકો અને સાહિત્યકારો કલમ થકી સેવા કરી રહ્યા છે ત્યારે આગામી કૉલમ માટે ગુજરાતી મિજાજની ચયન કમિટી એ સતત દસ વર્ષથી સ્વાસ્થ્ય, સંગીત અને સમાજ સેવા ક્ષેત્રે વૈશ્વિક સ્તરે સમર્પિત આયુર્વેદ તબીબ, ગર્ભ સંસ્કાર ટ્રેનર, મ્યુઝિક થેરાપીસ્ટ અને વુમન એન્ડ ચાઈલ્ડ હેલ્થ કાઉન્સેલર ડૉ. પૂજા ઠક્કર ને ‘આયુર્વેદની અટારી’ કૉલમ થકી જન સામાન્યને સ્વાસ્થ્ય જાળવવા આયુર્વેદિક ઉપચાર અંગે માહિતગાર કરવા આવકાર્યા છે. આ પ્રસંગે કમિટીના અધ્યક્ષ એ કહ્યું કે ‘વર્ષ 2014 થી ગિવ વાચા ફાઉન્ડેશનના હેલ્થ એન્ડ કોમ્યુનિટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ. પૂજા એ ગુજરાતના વિવિધ શહેરોમાં 150 થી પણ વધુ વર્કશોપ અને સેમિનાર મારફતે સેવા કરેલ છે તો વૈશ્વિક સ્તરે ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ જેવા વિવિધ અભિયાનો થકી પણ જનજાગૃતિ ફેલાવવા તેઓ યોગદાન આપી રહ્યા છે ત્યારે ગુજરાતી મિજાજ માધ્યમે કલમ થકી સેવા કરવા માટે એમને આવકારીએ છીએ. ‘આયુર્વેદની અટારી’ કૉલમ થકી લોકો રોજિંદા જીવનમાં સ્વાસ્થ્ય જાળવવા આયુર્વેદના ઉપચાર સાથે પરિચિત થઈ શકે એ જ અમારો ઉદેશ્ય છે.” તો ડૉ. પૂજા એ કહ્યું કે “વ્યક્તિની અસ્વસ્થતા માટે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓ જવાબદાર હોય છે. એ સમસ્યાઓ સરળ હોય કે જટિલ, આયુર્વેદમાં દરેક પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યા માટે સચોટ અને કાર્યરત ઉપાય છે જ! જેનાથી લોકો સામાન્યતઃ અજાણ હોય છે. એવામાં ‘આયુર્વેદની અટારી’ કૉલમ થકી જનજાગૃતિ કેળવવાનો મને આનંદ છે. આ ઉમદા વિચાર માટે ‘ગુજરાતી મિજાજ’ ની સમગ્ર ટીમનો હું અભિવાદન કરું છું.”

Read More
આરોગ્ય

શું છે ક્લબફૂટ?: જાણો આ જન્મજાત ખામી વિશે સંપૂર્ણ માહિતી

ક્લબફૂટ, જેને ટેલિપ્સ ઇક્વિનોવેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક સામાન્ય જન્મજાત સ્થિતિ છે જેમાં બાળકના પગ અંદરની તરફ વળેલા હોય છે, તળિયે ઘણીવાર બાજુ તરફ અથવા ઉપર તરફ હોય છે. તે બાળકના પગમાં સખત સ્નાયુબંધને કારણે થાય છે, જેના કારણે પગ અંદરની તરફ વળે છે. દર ૧૦૦૦ નવજાત શિશુઓમાંથી આશરે ૧ ક્લબફૂટ સાથે જન્મે છે અને ક્લબફૂટ સાથે જન્મેલા લગભગ અડધા બાળકોના બંને પગમાં તે હોય છે.

Read More
આરોગ્યગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

વર્લ્ડ ક્લબફૂટ ડે નિમિત્તે અસરગ્રસ્ત બાળકોના શુભ સ્વાસ્થ્ય માટે થયું ભગવદ્ ગીતા પઠન

સમગ્ર વિશ્વમાં 3 જૂન વિશ્વ ક્લબફૂટ દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ હેલ્થ એ અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ નામના વૈશ્વિક જાગૃતી અભિયાનની સાતમી વર્ષગાંઠની અનેરી ઉજવણી કરી.

Read More
સમાચારઆરોગ્ય

ગુજરાતી કલાકાર પર્વ ઠક્કરનાં આલ્બમનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિમોચન

બાળ કલાકાર પર્વ ઠક્કરનાં ધ ક્લબફુટ વોરિયર આલ્બમનું ગુજરાતનાં હેલ્થ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલને હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Read More
સમાચારઆરોગ્ય

મ્યુઝિક થેરાપી કમાલ: સંગીતના સથવારે બાળ કલાકાર પર્વ ઠક્કરએ હસતા મોઢે કરાવી સર્જરી

ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક સંચાલિત કૃપ મ્યુઝિક થેરાપી ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટર અંતર્ગત વર્ષોથી મ્યુઝિક થેરાપી લઈ રહેલા બાળ કલાકાર પર્વ ઠક્કરે આર્શ ચિલ્ડ્રન ઓર્થોપેડિક હોસ્પિટલ અમદાવાદ ખાતે ચહેરા પર સ્મિત અને સંગીત સાથે ક્લબફૂટની સફ્ળ સર્જરી કરાવી હતી.

Read More