ડૉ. કૃપેશ ઠક્કર

ડૉ. કૃપેશ ઠક્કર

ડૉ. કૃપેશ ઠક્કર ભારતીય ગાયક, ગીતકાર, સંગીતકાર, દિગ્દર્શક, મ્યૂઝિક થેરાપીસ્ટ અને બેસ્ટ સેલિંગ લેખક છે. તેઓ કૃપ મ્યુઝિક, કૃપ પ્રોડક્શન્સ, કૃપ ફિલ્મ્સ, કૃપ પબ્લિશિંગ અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંસ્થાપક છે.

તેમના કાર્ય દ્વારા અસંખ્ય વ્યક્તિઓના જીવન પર સકારાત્મક પ્રભાવ પાડતા, લાઈફ કોચ તરીકે તેમની વ્યાપક પ્રશંસા અને સિદ્ધિઓ છે. તેઓ પર્વ ફ્યુઝન બેન્ડના ગિટારિસ્ટ અને લીડ વોકલિસ્ટ પણ છે. તેઓ સુર ગુજરાત કે, સુર હિન્દુસ્તાન કે, ધ મેજિકલ મ્યુઝિશિયન, નચ લે અને ધ ગ્લોબલ ગુજરાત શોના મેન્ટર અને જજ પણ છે.

તેઓ ભારત અને ગુજરાતના સૌથી સર્વશ્રેષ્ઠ મ્યુઝિક થેરાપીસ્ટ તરીકે પણ જાણીતા છે. લેખક તરીકે, ડૉ. કૃપેશે બેસ્ટ સેલર નવલકથા શ્રેણી “ભગવદ ગીતા ફોર લાઈફ”, “જીવન મેં ગૂંજે ગીતા” તેમજ “ધ લવ ગાથા” લખી છે. તેમના જાણીતા પુસ્તકો અર્જુન ઉવાચ: અધ્યાત્મિક જાત્રા, અર્જુન ઉવાચ: ધ સ્પિરિચ્યુઅલ યાત્રા, અર્જુન ઉવાચ: મા પર્વ, ક્યા છે કાનો?: લીરીક્સ બુક તેમજ અધુરા પ્રેમની કહાની છે. તેમના પુસ્તકો કૃપ પબ્લિશિંગ દ્વારા વિશ્વભરમાં પ્રકાશિત થાય છે.

ફેસ્ટિવલ ડિરેક્ટર તરીકે, તેઓ વિશ્વના સૌથી લાંબા સમય સુધી ચાલતા સાહિત્ય ઉત્સવ “કૃપ લિટરેચર ફેસ્ટિવલ”નું નેતૃત્વ કરી રહ્યા છે.

આરોગ્યગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

વર્લ્ડ ક્લબફૂટ ડે નિમિત્તે અસરગ્રસ્ત બાળકોના શુભ સ્વાસ્થ્ય માટે થયું ભગવદ્ ગીતા પઠન

સમગ્ર વિશ્વમાં 3 જૂન વિશ્વ ક્લબફૂટ દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ હેલ્થ એ અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ નામના વૈશ્વિક જાગૃતી અભિયાનની સાતમી વર્ષગાંઠની અનેરી ઉજવણી કરી.

Read More
સાહિત્યગુજરાતી મિજાજ વિશેષમનોરંજન

ગુજરાત દિવસ વિશેષ: કૃપ પબ્લિશિંગ ‘ગુજરાતી મિજાજ’ સાથે ભાષાની સેવામાં

ગુજરાતનો સ્થાપના દિવસ એ ગુજરાતી અસ્મિતાનો પર્વ છે. કારણકે ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાતની એક સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થાપના થઈ હતી. ત્યારથી ગુજરાત એ ભારત માતાનો જમણો હાથ બની દેશમાં ક્રાંતિ અને ઉન્નતિના નવા શિખરો સર કરતો આવ્યો છે, તો ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને ગુજરાતની ધરોહર એ ભારત માતાના હાથના કંકણ સમા આભૂષણો બની સૌંદર્યનો પ્રતિક બન્યા છે.  આવી ગૌરવવંતી ગાથા સાથે વર્ષોથી સંગીત, કલા, ફિલ્મો અને સાહિત્ય ક્ષેત્રે કાર્યરત રહેલી ગુજરાતની જાણીતી રેકોર્ડ લેબલ કંપની કૃપ મ્યુઝિક, કૃપ ફિલ્મ્સ અને કૃપ પબ્લિશિંગ એ પોતાના ગુજરાતી ભાષા ને લગતા સર્વે કાર્યોને એક છત્ર નીચે લાવતા એક વેબ પોર્ટલનું નિર્માણ કરી ગુજરાત દિવસ ના રોજ જનસામાન્ય માટે લોકાર્પિત કર્યું. જેને ‘ગુજરાતી મિજાજ’ નામ આપવામાં આવ્યો.

Read More
સમાચારધર્મ/અધ્યાત્મસાહિત્ય

બાળ લેખકો પર્વ ઠક્કર અને વાચા ઠક્કર ના રામાયણ આધારિત પુસ્તકોનું થયું વિમોચન

હાલમાં ગિવ વાચા સેન્ટર અંજાર ખાતે હનુમાન જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકો દ્વારા હનુમાન ચાલીસાના પઠન બાદ શબ્દો થકી ભગવાનની વંદના કરતાં બાળ લેખકો છ વર્ષીય પર્વ ઠક્કર ના ‘રામાયણ એક્ટિવિટી બુક’ અને બાર વર્ષીય વાચા ઠક્કર ના ‘રામાયણ વર્ડ સર્ચ’ પુસ્તકનું વિમોચન થયું.

Read More
સમાચારધર્મ/અધ્યાત્મસાહિત્ય

શ્રી રામ ના ગુણોનું સિંચન કરતી ‘ચલો રામ બને’ ગુજરાત યાત્રાનો કચ્છથી થયો આરંભ

હાલમાં ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જીએલસીસી) અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે બાળકોમાં ભગવાન રામ જેવા ગુણોનું સિંચન કરતી ‘ચલો રામ બને’ કાર્યશાળાના પ્રથમ ચરણ સાથે પર્વ ફ્યુઝન બેન્ડ ની ગુજરાત યાત્રાનો થયો પ્રારંભ. જેમાં ૫૦ થી પણ વધુ બાળકોએ ભાગ લીધો.

Read More
સાહિત્યસમાચાર

કૃપ લીટરેચર ફેસ્ટિવલ: કચ્છના આંગણે યોજાયું ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લિટરેચર ફેસ્ટિવલ’

વૈશ્વિક સાહિત્ય પર્વ રૂપે જ્યારે કૃપ લીટરેચર ફેસ્ટિવલ કચ્છના શહેરોમાં ઉજવાઇ રહ્યું છે, ત્યારે હાલમાં ગિવ વાચા સેન્ટર અંજાર ખાતે આ પર્વ અંતર્ગત ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લીટરેચર ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન થયું. જેમાં વિવિધ શાળાઓના આચાર્યો અને સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા. આ ઉત્સવમાં બસો થી પણ વધુ બાળકો વાલીઓ સહિત જોડાયા અને ‘શબ્દવંદના’ સાથે સાત ભાષાઓની ગાયન, વાદન અને નૃત્યના મધ્યમથી વંદના કરી.

Read More
સમાચારસાહિત્ય

છ વર્ષીય પર્વ ઠક્કરના પુસ્તકનું સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે લોકાર્પણ

બાળ કલાકાર પર્વ ઠક્કર એ સાહિત્ય ક્ષેત્રે પદાર્પણ કરી ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરતું પોતાનું પ્રથમ પુસ્તક ‘પર્વ કી પાઠશાલા- સનાતન એક્ટિવિટી બુક પાર્ટ ૧’ પ્રકાશિત કર્યું. જેનું કચ્છના લોકલાડીલા સાંસદસભ્ય શ્રી વિનોદભાઇ ચાવડાને હસ્તે ભુજ ખાતે લોકાર્પણ થયું. ધારાસભ્ય શ્રી ત્રિકામભાઈ છાંગાએ પણ શુભકામનાઓ પાઠવી અને આશીર્વાદ આપ્યા.

Read More
સમાચાર

બાળ કલાકાર પર્વ ઠક્કરના આલ્બમનું ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

૭૬મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રૂપે અંજારના છ વર્ષીય પર્વ ઠક્કરના દેશભક્તિ ગીતોના આલ્બમ લવ યુ ભારતનું ગાંધીનગર ખાતે ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને હસ્તે લોકાર્પણ થયું.

Read More
સમાચારઆરોગ્ય

ગુજરાતી કલાકાર પર્વ ઠક્કરનાં આલ્બમનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિમોચન

બાળ કલાકાર પર્વ ઠક્કરનાં ધ ક્લબફુટ વોરિયર આલ્બમનું ગુજરાતનાં હેલ્થ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલને હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Read More
સમાચારઆરોગ્ય

મ્યુઝિક થેરાપી કમાલ: સંગીતના સથવારે બાળ કલાકાર પર્વ ઠક્કરએ હસતા મોઢે કરાવી સર્જરી

ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક સંચાલિત કૃપ મ્યુઝિક થેરાપી ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટર અંતર્ગત વર્ષોથી મ્યુઝિક થેરાપી લઈ રહેલા બાળ કલાકાર પર્વ ઠક્કરે આર્શ ચિલ્ડ્રન ઓર્થોપેડિક હોસ્પિટલ અમદાવાદ ખાતે ચહેરા પર સ્મિત અને સંગીત સાથે ક્લબફૂટની સફ્ળ સર્જરી કરાવી હતી.

Read More
સમાચારસાહિત્ય

પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા ને મળ્યા

વર્લ્ડ ક્લબફૂટ ડે નિમિત્તે પ્રતિનિધિ તરીકે પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા ને મળ્યા હતા.

Read More