કૉલમ

કૉલમકૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

ગૌરી વ્રતનો મહિમા | માતા ગૌરીની કથા | પર્વની પાઠશાળા

માતા ગૌરીને પૂજા, આરાધના અને વ્રત થકી પ્રસન્ન કરવાની પરંપરા એટલે ‘ગૌરી વ્રત’. ખાસ કરીને ગુજરાતમાં કન્યાઓ અને મહિલાઓ દ્વારા રંગે ચંગે ઉજવાતા ‘ગૌરી વ્રત’ ને ‘મોળાકાત’ નામે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ વ્રત દરમિયાન અલૂણાં એટલે કે મીઠા વિનાના ઉપવાસ કરવામાં આવે છે. અષાઢ સુદ અગિયારસ અર્થાત ‘દેવશયની’ એકાદશીથી શરૂ થતો આ વ્રત પૂર્ણિમા સુધી પાંચ દિવસનો હોય છે. જે દરમિયાન માતા ગૌરી અને મહાદેવની પૂજા થાય છે. ‘પર્વની પાઠશાળા’ માં આપણે જાણીશું આ વ્રત વિશેની રોચક વાતો અને દેવી ગૌરીની કથા! ગૌરી વ્રત કે મોળાકાત કરવાથી કુંવારી કન્યાઓને મનોવાંછિત જીવનસાથી મળે છે, તો પરિણીત મહિલાઓને સુખી અને સમૃદ્ધ ગૃહસ્થ જીવન મળે છે.

Read More
કૉલમ: કલમ ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષમનોરંજનસાહિત્ય

Song of the day – પપ્પા મારા સુપરમેન | કલમ ગુજરાતની

“પપ્પા મારા સુપરમેન” ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા લખવામાં આવેલું એક ગુજરાતી ગીત છે, જે પુત્ર દ્વારા પિતા પ્રત્યેના અનન્ય પ્રેમને વ્યક્ત કરે છે. આ ગીત પિતાને “સુપરમેન” તરીકે ઉજાગર કરે છે અને તેના અનન્ય પ્રેમ, કાળજી અને ઉદારતાની પ્રશંસા કરે છે.

Read More
કૉલમ: કલમ ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષમનોરંજનસાહિત્ય

Song of the day – લાડલી બેની | કલમ ગુજરાતની

“લાડલી બેની” ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા લખવામાં આવેલું એક ગુજરાતી ગીત છે, જે ભાઈ દ્વારા બહેન પ્રત્યેના અનન્ય પ્રેમને વ્યક્ત કરે છે. આ ગીત બહેનની યાદ આવવાની અનુભૂતિને અને તેના સાથેના સુખ-દુઃખના સંસ્મરણોને પ્રતિબિંબિત કરે છે. ગીતમાં ભાઈ બહેનને “લાડલી બેની” તરીકે સંબોધે છે અને કહે છે કે તેની આંખો તેને જોવા તરસે છે.

Read More
કૉલમ: કલમ ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષમનોરંજનસાહિત્ય

Song of the day – ઢીંગલી | કલમ ગુજરાતની

“ઢીંગલી” ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા લખવામાં આવેલું એક ગુજરાતી ગીત છે, જે દીકરીઓને સમર્પિત છે. આ ગીત પિતાના દીકરી પ્રત્યેના અનન્ય પ્રેમ અને મમતાને વ્યક્ત કરે છે. ગીતમાં પિતા દીકરીને તેના જીવનમાં અજવાળું લાવનાર, દિવાળી લાવનાર, લક્ષ્મીજી સમાન વ્હાલી દીકરી તરીકે વર્ણવે છે. તે દીકરીના હૃદયના ધબકારને પોતાના હૃદયના ધબકારની સમકક્ષ માને છે.

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

દેવશયની એકાદશી – ચાતુર્માસનો મહિમા અને કથા | પર્વની પાઠશાળા

અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવશયની એકાદશી! કે જેનો મહિમા વેદો અને પુરાણો એ અપાર કહ્યો છે. આ એકાદશીનું મહત્વ સૌ પ્રથમ ભગવાન બ્રહ્મા એ નારદજીને કહ્યું તો મહાભારતમાં ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિરને સમજાવ્યું. આ એકાદશીથી ચાતુર્ એટલે ચાર અને માસ એટલે મહિના, આમ ચાતુર્માસ પ્રારંભ થાય છે. અહીં એ ચાર મહિનાઓની વાત થઈ રહી છે, જે દરમિયાન સૃષ્ટિના સંચાલક ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં પ્રવેશી પાતાળલોકમાં રહે છે.

Read More
કૉલમ: પર્વની પાઠશાળાધર્મ/અધ્યાત્મ

રથયાત્રા: જગન્નાથ પુરીની રથયાત્રાનો ઈતિહાસ, મહિમા અને કથા | પર્વની પાઠશાળા

અષાઢ મહિનાની શુક્લ પક્ષની બીજ એટલે અષાઢી બીજ. અને આ અષાઢી બીજ ફક્ત એક તારીખ ન રહેતા ભારતીયો માટે મોટું પર્વ બને છે. કારણે કે આ દિવસે સ્વયં જગતના નાથ એટલે કે જગન્નાથ તેમના ભક્તોને મળવા મંદિરની બહાર આવે છે. માટે આ દિવસને સમગ્ર ભારત વર્ષ ‘રથ તહેવાર’ અને ‘રથયાત્રા’ રૂપે મનાવે છે, તો કચ્છમાં આ દિવસ કચ્છી નવા વર્ષ તરીકે ઉજવાય છે. આ ઉત્સવ ફક્ત એક પર્વ નથી. પરંતુ ભાવ છે એક ભક્ત અને ભગવાનનો! કહેવાય છે ને, કે ભક્ત એક ડગલું ચાલે તો ભગવાન દસ ડગલા ચાલીને ભક્ત પાસે આવે છે. ભક્તિના એ જ ભાવનું પ્રતિક છે ‘રથયાત્રા’! પર્વની પાઠશાળા અર્થાત તહેવારોની પાઠશાળામાં, ચાલો જાણીએ આ રથયાત્રા વિશેના જાણ્યા અજાણ્યા કિસ્સા અને ભગવાન જગન્નાથના વિશિષ્ટ સ્વરૂપની કહાની!

Read More