કૉલમ

આરોગ્યકૉલમ: આયુર્વેદની અટારીગુજરાતી મિજાજ વિશેષ

આપની પ્રકૃતિ કઈ છે? વાત, પિત્ત કે કફ? |સ્વસ્થ રહેવા માટે પહેલા આપણી પ્રકૃતિ ઓળખતા શીખીએ. | આયુર્વેદની અટારી

શરીર, મન અને આત્માનું વિજ્ઞાન એટલે આયુર્વેદ. કે જેમાં આ ત્રણેય તત્વોની સુસાધ્યતા થકી સ્વસ્થ અને દીર્ઘાયુ રહી શકાય એનું રહસ્ય છે. આ ત્રણ તત્વોમાં વાત, પિત્ત અને કફ એ પ્રકૃતિના ત્રણ દોષ છે જે સ્વાસ્થ્ય જાળવી રાખે છે. હવે કોઈ કારણસર જ્યારે આ દોષની અસુમતુલા સર્જાય ત્યારે એ કોઈને કોઈ રોગના સ્વરૂપે બહાર આવે છે. માટે આયુર્વેદ પ્રાથમિકપણે રોગના લક્ષણો કરતાં તેના ઉદ્ભવના કારણ પર મુખ્યરૂપથી કાર્ય કરે છે. ‘આયુર્વેદની અટારી’ થકી આપણે આયુર્વેદની પ્રાથમિક સમજ મેળવી અને સ્વસ્થ રહેવા અને રોગ નિવારવા માટેના ઉપાયો જાણીશું. 

Read More
આરોગ્યકૉલમ: આયુર્વેદની અટારીગુજરાતી મિજાજ વિશેષ

સ્વસ્થ રહેવા આયુર્વેદિક ઉપચારની સમજણ આપશે ડૉ. પૂજા ઠક્કર ‘આયુર્વેદની અટારી’ કૉલમમાં

વૈશ્વિક સ્તરે ભાષા અને સાહિત્ય થકી સેવા કરવા અમેરિકાથી સંચાલિત વેબ પોર્ટલ ‘ગુજરાતી મિજાજ’ પર લેખકો અને સાહિત્યકારો કલમ થકી સેવા કરી રહ્યા છે ત્યારે આગામી કૉલમ માટે ગુજરાતી મિજાજની ચયન કમિટી એ સતત દસ વર્ષથી સ્વાસ્થ્ય, સંગીત અને સમાજ સેવા ક્ષેત્રે વૈશ્વિક સ્તરે સમર્પિત આયુર્વેદ તબીબ, ગર્ભ સંસ્કાર ટ્રેનર, મ્યુઝિક થેરાપીસ્ટ અને વુમન એન્ડ ચાઈલ્ડ હેલ્થ કાઉન્સેલર ડૉ. પૂજા ઠક્કર ને ‘આયુર્વેદની અટારી’ કૉલમ થકી જન સામાન્યને સ્વાસ્થ્ય જાળવવા આયુર્વેદિક ઉપચાર અંગે માહિતગાર કરવા આવકાર્યા છે. આ પ્રસંગે કમિટીના અધ્યક્ષ એ કહ્યું કે ‘વર્ષ 2014 થી ગિવ વાચા ફાઉન્ડેશનના હેલ્થ એન્ડ કોમ્યુનિટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ. પૂજા એ ગુજરાતના વિવિધ શહેરોમાં 150 થી પણ વધુ વર્કશોપ અને સેમિનાર મારફતે સેવા કરેલ છે તો વૈશ્વિક સ્તરે ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ જેવા વિવિધ અભિયાનો થકી પણ જનજાગૃતિ ફેલાવવા તેઓ યોગદાન આપી રહ્યા છે ત્યારે ગુજરાતી મિજાજ માધ્યમે કલમ થકી સેવા કરવા માટે એમને આવકારીએ છીએ. ‘આયુર્વેદની અટારી’ કૉલમ થકી લોકો રોજિંદા જીવનમાં સ્વાસ્થ્ય જાળવવા આયુર્વેદના ઉપચાર સાથે પરિચિત થઈ શકે એ જ અમારો ઉદેશ્ય છે.” તો ડૉ. પૂજા એ કહ્યું કે “વ્યક્તિની અસ્વસ્થતા માટે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓ જવાબદાર હોય છે. એ સમસ્યાઓ સરળ હોય કે જટિલ, આયુર્વેદમાં દરેક પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યા માટે સચોટ અને કાર્યરત ઉપાય છે જ! જેનાથી લોકો સામાન્યતઃ અજાણ હોય છે. એવામાં ‘આયુર્વેદની અટારી’ કૉલમ થકી જનજાગૃતિ કેળવવાનો મને આનંદ છે. આ ઉમદા વિચાર માટે ‘ગુજરાતી મિજાજ’ ની સમગ્ર ટીમનો હું અભિવાદન કરું છું.”

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસાહિત્ય

જન્માષ્ટમી ની તિથિ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ | જન્માષ્ટમી ક્યારે ઉજવવામાં આવશે? | કૃષ્ણ જન્મની કથા | પર્વની પાઠશાળા

ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમી! આ ‘જન્મ અષ્ટમી’ એટલે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમી તિથિ, કે જ્યારે કૃષ્ણનો જન્મ થયો. આ દિવસને ‘ગોકુળ આઠમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જગદગુરુ ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ ફક્ત ભારત દેશ કે ફક્ત હિંદુઓ પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં વસતા વિવિધ ધર્મ અને સંપ્રદાયના કૃષ્ણ પ્રેમીઓ આ પર્વને ધામધૂમથી ઉજવે છે. પર્વની પાઠશાળામાં આપણે જાણીશું આ ભવ્ય તહેવાર વિશે ની રોચક વાતો અને કૃષ્ણ જન્મની કથા સાથે જોડાયેલા ચમત્કારો અને સંદેશ!

Read More
કૉલમ: હુંકાર કરસાહિત્ય

આરાધ્યા | Child Abuse Awareness Story | હુંકાર કર

શ્રુતિ તેની સાત વર્ષીય દીકરી આરાધ્યાને લઈને સ્કૂલેથી ઘરે આવી રહી હતી. એક હાથે આરાધ્યાનો હાથ પકડ્યો હતો અને બીજા હાથે એનો બેગ. બન્ને હળવે હળવે ચાલી રહ્યા હતા. આરાધ્યા ગુમસુમ અને શાંત હતી; પણ શ્રુતિના મનમાં ઘણી ઉથલ પાથલ થઇ રહી હતી. તેને પોતાની પરવરિશ પર પૂર્ણ વિશ્વાસ અને અભિમાન હતો. આરાધ્યાને લઈને તેને મહત્વકાંક્ષાઓ હતી. જેનાં પર તેની શિક્ષિકાના શબ્દો એ પાણી ફેરવી દીધો. PTM દરમિયાન આરાધ્યાની શિક્ષિકા એ જે કંઈ પણ ફરિયાદ કરી હતી, તે હજુ પણ તેના મનમાં ચાલી રહી હતી. તે પોતાની વ્યગ્રતા પર નિયંત્રણ ના રાખી શકી અને બોલી…

Read More
કૉલમકૉલમ: ધન્ય ધરા ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

કચ્છના પૌરાણીક તીર્થ ‘ધ્રબુડી’ ની શબ્દયાત્રા | ધન્ય ધરા ગુજરાતની

કચ્છની ભૂમિ એટલે મરુ મહેરામણ અને મેરુ ની ભૂમિ. કેટલાય ધાર્મિક ઐતિહાસિક પૌરાણિક સ્થાનો એ કચ્છને દીપાવ્યું છે. તેથી તો આપણા મહાનાયક અમિતાભ બચ્ચને કહ્યું છે કે: કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા… તો ચાલો આપણે શરૂ કરીએ કચ્છ યાત્રાની પહેલી સફર … આ શબ્દયાત્રાના પહેલા મણકામાં આપણે માંડવી તાલુકાના ગુંદિયાલી ગામ પાસે આવેલા ધ્રબુડી તીર્થધામની યાત્રા કરશું. જેનું ભૌગોલિક અંતર માત્ર આઠ કિલોમીટર છે માંડવીથી… પરંતુ તેના મૂળ છે ત્રેતાયુઞ માં…

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષ

15મી ઓગસ્ટ: ભારતની આઝાદીના મશાલધારકોને શ્રદ્ધાંજલિ | પર્વની પાઠશાળા

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર 15મી ઑગસ્ટ 1947ની પરોઢ, એક એવી ક્ષણ જેણે સ્વતંત્ર અને સાર્વભૌમ ભારતના

Read More
કૉલમ: પર્વની પાઠશાળાધર્મ/અધ્યાત્મસાહિત્ય

રક્ષાબંધન ક્યારે છે? | રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત | શા માટે ઉજવાય છે રક્ષાબંધન? | પર્વ ની પાઠશાળા

વિશ્વભરમાં વસતા હિન્દુઓને એક તાંતણે બાંધી રાખતો પર્વ એટલે ‘રક્ષાબંધન’. શ્રાવણ માસની પૂર્ણિમા એ ઉજવાતો આ પર્વ ‘રાખડી પૂનમ’ અને ‘રાખી તહેવાર’ નામે પણ ઓળખાય છે. એક ભાઈ અને બહેનના વિશિષ્ટ પ્રેમના પ્રતિક એવો આ તહેવાર પૌરાણિક કાળથી ઉજવાતો આવે છે. દેવોના રાજા ઇન્દ્ર અને ઇંદ્રાણી હોય કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અને દ્રૌપદી! કાચા દોરા સાથે અતૂટ રક્ષાનું વચન પાળવાની એ પ્રથા આજે પણ અકબંધ છે. રક્ષાની એ દોરીએ ઇન્દ્રને યુદ્ધમાં વિજય અપાવી તો દ્રૌપદીના સન્માનની રક્ષા પણ કરી.

Read More
કૉલમ: પર્વની પાઠશાળા

નાગ પંચમી નું મહત્વ | નાગ પૂજા | નાગ પાંચમ ની વાર્તા | નાગ પંચમી કઈ તારીખે છે?

પાવન શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની પાંચમ એટલે ‘નાગ પંચમી’. હિંદુ સંસ્કૃતિમાં નાગ પાંચમ પ્રમુખ તહેવારોમાંથી એક છે. કારણકે તેનું પૌરાણિક મહત્વ તો છે જ! પરંતુ ભારત દેશ કૃષિ પ્રધાન હોવાથી તેમજ ભારતીય સંસ્કારોમાં પ્રકૃતિ સાથે મનુષ્યોનું વિશેષ જોડાણ હોવાથી નાગ પાંચમ ઉજવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. વસ્તુતઃ નાગ એટલે સર્પો, એ ક્ષેત્ર એટલે કે ખેતર ની ઉંદરો અને અન્ય જીવ જંતુઓ થી રક્ષા કરે છે માટે તેમને ક્ષેત્રપાળ કહેવામાં આવે છે. આજે પણ તમે કોઈ ખેતરે જાઓ ત્યારે ત્યાં તમને ખેતરપાળ ની નાની દેરી જોવા મળે જ. જેમની પૂજા ખેડૂતો કરતા હોય છે. સનાતન ધર્મમાં નાગો નું વિશિષ્ટ સ્થાન રહ્યું જ છે, એક તરફ મહાદેવના કંઠ પર તો બીજી તરફ ભગવાન વિષ્ણુ ની શેષ શૈયા! રામાયણમાં ભાઈ લક્ષ્મણ અને મહાભારતમાં ભાઈ બલરામ ને શેષનાગ ના જ અવતાર કહ્યા છે.

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસાહિત્ય

શ્રાવણ માસની મહિમા, મહત્વ અને કથા | શ્રાવણ સોમવાર વિશેષ | પર્વની પાઠશાળા

ભગવાન શિવને અતિ પ્રિય એવા પાવન શ્રાવણ માસનો હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. પવિત્ર ચાતુર્માસ દરમિયાન આવતા શ્રાવણ મહિનામાં મુખ્યત્વે મહાદેવ અને દેવી પાર્વતીની આરાધના થાય છે. આ મહિનાની પૂર્ણિમાએ શ્રવણ નક્ષત્ર આવતો હોવાથી તેને ‘શ્રાવણ’ કહેવામાં આવે છે. ‘પર્વની પાઠશાળા’ માં આપણે જાણીશું શ્રાવણ માસનો મહિમા અને એની રોચક કથા.

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

ગુરુ પૂર્ણિમાની મહિમા અને કથા | ગુરુ નું મહત્વ | પર્વ ની પાઠશાળા

અષાઢ માસની પૂર્ણિમા એ ઉજવાય છે ‘ગુરુ પૂર્ણિમા’. જેને ‘વ્યાસ પૂર્ણિમા’ પણ કહેવામાં આવે છે. કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુના અંશાવતાર સમાન અને અષ્ટ ચિરંજીવીઓ માંથી એક એવા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. મહાજ્ઞાની વ્યાસજી એ વેદોની રચના કરી એટલે તેમને ‘વેદ વ્યાસ’ તરીકે ગુરુઓના ગુરુ માનવામાં આવે છે. માટે ‘ગુરુ પૂર્ણિમા’ ના દિવસને લોકો મુખ્યત્વે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, મહર્ષિ વેદ વ્યાસ અને પોતપોતાના ગુરુની પૂજા કરી ઉજવે છે. ‘પર્વની પાઠશાળા’ માં આજે જાણીશું, કે ગુરુ પૂર્ણિમા ઉજવવાનો આપણી ભારતીય સંસ્કૃતિમાં વિશેષ મહત્વ શાથી છે. ગુરુ પૂર્ણિમાની ઉજવણી પુણ્યશાળી અને કલ્યાણકારી મનાય છે. ગુરુ પૂર્ણિમા એ દરેક આસ્તિકો અને ભક્તજનો માટે ભગવાન પ્રત્યે અને ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પર્વ છે.

Read More