ડૉ. કૃપેશ ઠક્કર

ડૉ. કૃપેશ ઠક્કર

ડૉ. કૃપેશ ઠક્કર ભારતીય ગાયક, ગીતકાર, સંગીતકાર, દિગ્દર્શક, મ્યૂઝિક થેરાપીસ્ટ અને બેસ્ટ સેલિંગ લેખક છે. તેઓ કૃપ મ્યુઝિક, કૃપ પ્રોડક્શન્સ, કૃપ ફિલ્મ્સ, કૃપ પબ્લિશિંગ અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંસ્થાપક છે.

તેમના કાર્ય દ્વારા અસંખ્ય વ્યક્તિઓના જીવન પર સકારાત્મક પ્રભાવ પાડતા, લાઈફ કોચ તરીકે તેમની વ્યાપક પ્રશંસા અને સિદ્ધિઓ છે. તેઓ પર્વ ફ્યુઝન બેન્ડના ગિટારિસ્ટ અને લીડ વોકલિસ્ટ પણ છે. તેઓ સુર ગુજરાત કે, સુર હિન્દુસ્તાન કે, ધ મેજિકલ મ્યુઝિશિયન, નચ લે અને ધ ગ્લોબલ ગુજરાત શોના મેન્ટર અને જજ પણ છે.

તેઓ ભારત અને ગુજરાતના સૌથી સર્વશ્રેષ્ઠ મ્યુઝિક થેરાપીસ્ટ તરીકે પણ જાણીતા છે. લેખક તરીકે, ડૉ. કૃપેશે બેસ્ટ સેલર નવલકથા શ્રેણી “ભગવદ ગીતા ફોર લાઈફ”, “જીવન મેં ગૂંજે ગીતા” તેમજ “ધ લવ ગાથા” લખી છે. તેમના જાણીતા પુસ્તકો અર્જુન ઉવાચ: અધ્યાત્મિક જાત્રા, અર્જુન ઉવાચ: ધ સ્પિરિચ્યુઅલ યાત્રા, અર્જુન ઉવાચ: મા પર્વ, ક્યા છે કાનો?: લીરીક્સ બુક તેમજ અધુરા પ્રેમની કહાની છે. તેમના પુસ્તકો કૃપ પબ્લિશિંગ દ્વારા વિશ્વભરમાં પ્રકાશિત થાય છે.

ફેસ્ટિવલ ડિરેક્ટર તરીકે, તેઓ વિશ્વના સૌથી લાંબા સમય સુધી ચાલતા સાહિત્ય ઉત્સવ “કૃપ લિટરેચર ફેસ્ટિવલ”નું નેતૃત્વ કરી રહ્યા છે.

કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસાહિત્ય

વામન જયંતી નું મહત્વ, પૂજા વિધિ અને પૌરાણિક કથા | ભગવાન વિષ્ણુએ શા માટે લીધો વામન અવતાર? | પર્વની પાઠશાળા

ભાદરવા મહિનાની શુક્લ પક્ષની બારમી તિથિ એ ઉજવાય છે ‘વામન જયંતી’, કે જે ‘વામન દ્વાદશી’ ના નામે પણ ઓળખાય છે. ભાગવત મહાપુરાણ અનુસાર ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુ વામન અવતાર લઈને દેવમાતા અદિતીના ગર્ભથી પ્રગટ થયા હતા. માટે એમના પ્રાગટ્ય દિવસને વામન જયંતી રૂપે ઉજવવામાં આવે છે. ‘પર્વની પાઠશાળા’ માં અગાઉ જ્યારે દેવશયની એકાદશી પ્રસંગે આપણે વામન ભગવાનનો થોડો પરિચય મેળવ્યો ત્યારે તેમના જન્મદિવસ પ્રસંગે વિસ્તારથી પરિચય મેળવીશું.

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

પર્યુષણનું ધાર્મિક મહત્વ | ભગવાન મહાવીરના જન્મની કથા | પર્વની પાઠશાળા

જૈન ધર્મમાં સર્વ તહેવારોનો રાજા એટલે ‘પર્યુષણ પર્વ’! તેને ‘મહાપર્વ’ અને ‘પર્વાધિરાજ’ નામે પણ ઓળખવામાં આવે છે. કારણ કે જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો માંથી એક સિદ્ધાંત એટલે ‘ક્ષમા’ અને પર્યુષણ એ ‘ક્ષમા’ નો પર્વ છે. તેથી તે વિશ્વભરના જૈનો માટેનો પ્રમુખ તહેવાર છે. સામાન્ય રીતે પર્યુષણ શ્રાવણ મહિનાના છેલા ચાર દિવસ અને ભાદરવા મહિનાના પ્રથમ ચાર દિવસ એમ આઠ દિવસનો પર્વ છે. જે આ વર્ષે 31 ઓગસ્ટ થી શરૂ થઈ 7 સપ્ટેમ્બર સુધી ચાલશે. શ્વેતાંબર જૈનો પર્યુષણ આઠ દિવસ ઉજવે છે, જ્યારે દિગંબર જૈનો દસ દિવસ ઉજવતા હોવાથી તેને ‘દસલક્ષણ પર્વ’ પણ કહે છે. પર્વની પાઠશાળામાં આપણે જાણીશું પર્યુષણ પર્વ વિષેની રોચક વાતો અને ભગવાન મહાવીરના જન્મની કથા. 

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસાહિત્ય

ગણેશ ચતુર્થીનો ઈતિહાસ, મહત્વ, કથા અને વ્રત કથા | ગણેશ ચતુર્થી શા માટે ઉજવાય છે? | પર્વની પાઠશાળા

હિન્દુ ધર્મમાં પ્રમુખ દેવતાઓ માંથી એક એટલે ગણેશ અને તેમનો જન્મદિવસ એટલે કે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી એ જ ‘ગણેશ ચતુર્થી’. આમ તો તેમના બાર, એકસો આઠ અને એક હજાર આઠ નામ છે. પરંતુ મુખ્ય રૂપથી તેઓ સર્વે દેવગણના ‘ઇશ’ એટલે ગણેશ, દેવ ગણોના અધિપતિ એટલે ‘ગણપતિ’, વિઘ્નને હરનારા ‘વિઘ્નહર્તા’ અને નાના-મોટા સૌના લાડીલા ‘ગણપતિ બપ્પા’ એમ વિવિધ નામો થી ઓળખાય છે. તેમના દરેક નામનો વિશિષ્ટ અર્થ અને વિશિષ્ટ મહિમા છે. કોઈ પણ પ્રાંત હોય, રાજ્ય હોય કે કોઈ પણ સંપ્રદાય; ભગવાન ગણેશ સર્વાનુમતે દરેક શુભ કાર્ય પહેલા પૂજાય છે. સનાતન સંસ્કૃતિ માં તેમનું આગવું સ્થાન છે. એટલે જ ‘ગણેશ ચતુર્થી’ ફક્ત એક પર્વ નહીં પણ પરંપરા છે એમ કહી શકાય. કે જે વર્ષોથી ચાલતી આવી છે. પર્વની પાઠશાળા માં આપણે જાણીશું ‘ગણેશ ચતુર્થી’ નું મહત્વ અને તેમના જન્મની કથા!

Read More
ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસમાચાર

‘ગૂંજે ગીતા શતક મહોત્સવ’ સાથે પર્વ ફ્યૂઝન બેન્ડના ‘ગિટાર પર ભગવદ્ ગીતા’ કાર્યક્રમની થઈ સદી

ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, કૃપ ગુરુકુલ, ઇઝી આઈડી અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ – કચ્છ ના સંયુક્ત ઉપક્રમે અંજાર ખાતે ‘ગૂંજે ગીતા શતક મહોત્સવ’ નો જિલ્લા કક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આ ઉત્સવમાં પર્વ ફ્યૂઝન બેન્ડના ‘ગિટાર પર ભગવદ્ ગીતા’ ના સો જેટલા કાર્યક્રમો પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી થઈ. જેમાં અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, ગિવ વાચા સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર, વરિષ્ઠ સાહિત્યકાર ડૉ. રમેશ ભટ્ટ, માનવતા ગ્રૂપના અગ્રણી શ્રી ગોવિંદભાઇ દનીચા, વરિષ્ઠ શિક્ષક શ્રી એન. કે. ધોરિયા, ડી. વી. હાઇસ્કૂલના સુપરવાઇઝર શ્રી ઉમેશભાઈ વ્યાસ અને શ્રી હરિભાઇ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.

Read More
ગુજરાતી મિજાજ વિશેષમનોરંજનસમાચાર

ગાયક કલાકાર હર્નિશ અંજારિયાનું કૃષ્ણ ભક્તિગીત ‘કરામત’ જન્માષ્ટમી નિમિતે વૈશ્વિક સ્તરે લોન્ચ થયું.

ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક દ્વારા કચ્છ અંજારના ગાયક કલાકાર હર્નિશ અંજારિયા ના કૃષ્ણ ભક્તિ ગીત ‘કરામત’ વૈશ્વિક સ્તરે લોન્ચ થયાની અંજાર ખાતે ઉજવણી થઈ. જેમાં શ્રી સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, ગીતકાર, સંગીતકાર અને ફિલ્મ નિર્માતા ડૉ. કૃપેશ ઠક્કર, કૃપ મ્યુઝિકના ચેર પર્સન ડૉ. પૂજા ઠક્કર અને સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. આ કૃષ્ણ ભક્તિ ગીતને હર્નિશભાઈ એ મધુર કંઠ આપ્યો છે તો શબ્દો અને સંગીતમાં ડૉ. કૃપેશનું યોગદાન રહ્યું છે.

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસાહિત્ય

જન્માષ્ટમી ની તિથિ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ | જન્માષ્ટમી ક્યારે ઉજવવામાં આવશે? | કૃષ્ણ જન્મની કથા | પર્વની પાઠશાળા

ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમી! આ ‘જન્મ અષ્ટમી’ એટલે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમી તિથિ, કે જ્યારે કૃષ્ણનો જન્મ થયો. આ દિવસને ‘ગોકુળ આઠમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જગદગુરુ ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ ફક્ત ભારત દેશ કે ફક્ત હિંદુઓ પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં વસતા વિવિધ ધર્મ અને સંપ્રદાયના કૃષ્ણ પ્રેમીઓ આ પર્વને ધામધૂમથી ઉજવે છે. પર્વની પાઠશાળામાં આપણે જાણીશું આ ભવ્ય તહેવાર વિશે ની રોચક વાતો અને કૃષ્ણ જન્મની કથા સાથે જોડાયેલા ચમત્કારો અને સંદેશ!

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

વરિષ્ઠ સાહિત્યકાર શ્રી મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ એ આપી ‘ગુજરાતી મિજાજ: ગુજરાતી સાહિત્ય સંગીત પર્વ’ ને વિશેષ શુભેચ્છા

ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, ઇઝી આઈડી અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ કલબ દ્વારા વિશ્વના સૌથી લાંબા ગુજરાતી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ ‘ગુજરાતી મિજાજ’ નો શુભારંભ કચ્છ ખાતે થયું ત્યારે કચ્છના વરિષ્ઠ સાહિત્યકાર શ્રી મદનકુમાર અંજારિયા એ ફેસ્ટિવલ ડાયરેક્ટર ડૉ. કૃપેશ ઠક્કર અને ડૉ. પૂજા ઠક્કર ને વિશેષ શુભેચ્છા સાથે આશીર્વાદ આપ્યા. ‘ગુજરાતી મિજાજ’ ની છબીનાં અનાવરણ સાથે તેમણે આ સાહિત્ય સંગીત પર્વના ભવ્ય આયોજનની સરાહના કરી.

Read More
ગુજરાતી મિજાજ વિશેષ

‘પર્વ ફ્યૂઝન બેન્ડ’ નું રાષ્ટ્રગીત ૧૨ કલાકમાં ૩૦ લાખ વ્યુઝ સાથે ‘ટ્રેન્ડિંગ’!

હાલમાં સમગ્ર દેશ જ્યારે સ્વતંત્રતા પર્વ ઉજવી રહ્યો છે. ત્યારે કચ્છના કલાકારો ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશ ઠક્કર, વિશ્વનો

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષ

15મી ઓગસ્ટ: ભારતની આઝાદીના મશાલધારકોને શ્રદ્ધાંજલિ | પર્વની પાઠશાળા

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર 15મી ઑગસ્ટ 1947ની પરોઢ, એક એવી ક્ષણ જેણે સ્વતંત્ર અને સાર્વભૌમ ભારતના

Read More
સમાચારગુજરાતી મિજાજ વિશેષસાહિત્ય

ગુજરાતી મિજાજ અંતર્ગત લેખિકા અરુણા ઠક્કરના પુસ્તક ‘લટઈ’ નું થયું વિમોચન

ગુજરાતી મિજાજ: ગુજરાતી સાહિત્ય સંગીત પર્વ અંતર્ગત અનેકવિધ પ્રવૃત્તિઓ થઇ રહી છે ત્યારે કચ્છના પુરસ્કૃત લેખિકા શ્રીમતી અરુણાબેન ઠક્કર ના ‘લટઈ – ૨’ ઈ-બુકને કૃપ પબ્લિશિંગ દ્વારા વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યું. ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા ભુજ ખાતે આ પુસ્તકનો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બેસ્ટ સેલર લેખક ડો. કૃપેશ ઠક્કર, પુરસ્કૃત બાળ સર્જકો વાચા ઠક્કર અને પર્વ ઠક્કર તથા લેખિકા ડો. પૂજા ઠક્કરને હસ્તે પુસ્તકના મુખપૃષ્ઠનું અનાવરણ થયું. આ કાર્યક્રમમાં ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ કલબના સદસ્યો તથા કૃપ પબ્લિશિંગના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Read More