વામન જયંતી નું મહત્વ, પૂજા વિધિ અને પૌરાણિક કથા | ભગવાન વિષ્ણુએ શા માટે લીધો વામન અવતાર? | પર્વની પાઠશાળા
ભાદરવા મહિનાની શુક્લ પક્ષની બારમી તિથિ એ ઉજવાય છે ‘વામન જયંતી’, કે જે ‘વામન દ્વાદશી’ ના નામે પણ ઓળખાય છે. ભાગવત મહાપુરાણ અનુસાર ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુ વામન અવતાર લઈને દેવમાતા અદિતીના ગર્ભથી પ્રગટ થયા હતા. માટે એમના પ્રાગટ્ય દિવસને વામન જયંતી રૂપે ઉજવવામાં આવે છે. ‘પર્વની પાઠશાળા’ માં અગાઉ જ્યારે દેવશયની એકાદશી પ્રસંગે આપણે વામન ભગવાનનો થોડો પરિચય મેળવ્યો ત્યારે તેમના જન્મદિવસ પ્રસંગે વિસ્તારથી પરિચય મેળવીશું.
Read More