‘ગુજરાતી મિજાજ’ અંતર્ગત ડી.વી. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ માણ્યું ‘અર્જુન ઉવાચ’ મોટિવેશનલ સેમિનાર
ગિવ વાચા ફાઉન્ડેશન, ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ, કૃપ મ્યુઝિક અને ઇઝી આઈ ડી દ્વારા આયોજિત ‘ગુજરાતી મિજાજ: ગુજરાતી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ’ ની દ્વિતિય આવૃત્તિનો શુભારંભ થયો છે ત્યારે આ પર્વના બીજા દિવસે અંજારની શેઠ ડી.વી. સરકારી ઉ. મા. શાળા ખાતે ‘અર્જુન ઉવાચ’ મોટિવેશનલ સેમિનારનું આયોજન થયું. જેમાં ગુ. શિ. સેવા વર્ગ-૨ ના આચાર્યા શ્રીમતી સુનિતાબેન દરિયાણી, સુપરવાઈઝર શ્રી ઉમેશભાઈ વ્યાસ અને વહીવટી વડા શ્રી ભરતસિંહ જાડેજા એ ગીતકાર, સંગીતકાર અને બેસ્ટ સેલર લેખક ડૉ. કૃપેશ ઠક્કર સાથે આયુર્વેદ તબીબ અને લેખિકા ડૉ. પૂજા ઠક્કરનું સ્વાગત સત્કાર કર્યું.
Read More