સમાચાર

ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

કચ્છના રમણીય સ્થળોની વાતો કરશે લેખિકા અરુણા ઠક્કર ‘ધન્ય ધરા ગુજરાતની’ કૉલમમાં

‘ગુજરાતી મિજાજ’ દ્વારા વિશ્વભરના કચ્છી અને ગુજરાતી લેખકોને કલમ થકી વૈશ્વિક સ્તરે ભાષાની સેવા કરવા માટે અવસર મળી રહ્યો છે ત્યારે આગામી કૉલમ માટે ગુજરાતી મિજાજની ચયન કમિટી દ્વારા ભુજ કચ્છના લેખિકા અરુણા ઠક્કર ની પસંદગી ‘ધન્ય ધરા ગુજરાતની’ કૉલમ માટે કરવામાં આવી છે. તેઓ પોતાની કલમ થકી ‘કચ્છ દર્શન’ કૉલમ અંતર્ગત કચ્છના ઐતિહાસિક, ધાર્મિક અને રમણીય સ્થળો વિષેની માહિતી અને રોચક વાતો કરશે. આ કૉલમ માં એ સ્થળોનું મહત્વ તેમજ તેમના અસ્તિત્વ સાથે જોડાયેલી કથાઓ અને કિસ્સાઓ પણ જોવા મળશે. આ પ્રસંગે ગુજરાતી મિજાજની ચયન કમિટીના પ્રતિનિધિએ જણાવ્યું કે “ધન્ય ધરા ગુજરાતની કૉલમ થકી અમે વિશ્વભરમાં વસતા ગુજરાતી લોકો સુધી શબ્દોને મારફતે ગુજરાતની માટીની મહેક પહોંચાડીશું. ઘર બેઠા જ તેઓ ગુજરાતની ગરિમા સમાન સ્થળો વિષે જાણીને વાંચન થકી વિહાર કરી શકે એ ઉદેશ્યથી આ કૉલમ પ્રકાશિત કરીએ છીએ. આ કૉલમમાં વિવિધ લેખકો સાથે મળીને ગુજરાતની ધરોહરની વંદના કરશે. આ શબ્દ યાત્રામાં ભુજ કચ્છના લેખિકા અરુણાબહેન ઠક્કરને અમે આવકારીએ છીએ. તેમની કલમ સાથે વાચકોને કચ્છ દર્શન કરવાનો અનેરો લ્હાવો મળશે.”

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

વરિષ્ઠ સાહિત્યકાર શ્રી મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ એ આપી ‘ગુજરાતી મિજાજ: ગુજરાતી સાહિત્ય સંગીત પર્વ’ ને વિશેષ શુભેચ્છા

ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, ઇઝી આઈડી અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ કલબ દ્વારા વિશ્વના સૌથી લાંબા ગુજરાતી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ ‘ગુજરાતી મિજાજ’ નો શુભારંભ કચ્છ ખાતે થયું ત્યારે કચ્છના વરિષ્ઠ સાહિત્યકાર શ્રી મદનકુમાર અંજારિયા એ ફેસ્ટિવલ ડાયરેક્ટર ડૉ. કૃપેશ ઠક્કર અને ડૉ. પૂજા ઠક્કર ને વિશેષ શુભેચ્છા સાથે આશીર્વાદ આપ્યા. ‘ગુજરાતી મિજાજ’ ની છબીનાં અનાવરણ સાથે તેમણે આ સાહિત્ય સંગીત પર્વના ભવ્ય આયોજનની સરાહના કરી.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચાર

સાહિત્યકારોને ‘પ્રિન્ટ ઓન ડિમાન્ડ’ ની સુવિધા હવે કચ્છમાં પણ ઉપલબ્ધ! – કૃપ પબ્લિશિંગ

હાર્ડ કોપી, ઇ-બુક, ઓડિયો બુક અને ઓડિયો પોયટ્રી જેવી બહુવિધ અને અદ્યતન સુવિધા આપતું ગુજરાતના અગ્રિમ પબ્લિકેશન હાઉસ ‘કૃપ પબ્લિશિંગ’

Read More
સમાચારગુજરાતી મિજાજ વિશેષસાહિત્ય

ગુજરાતી મિજાજ અંતર્ગત લેખિકા અરુણા ઠક્કરના પુસ્તક ‘લટઈ’ નું થયું વિમોચન

ગુજરાતી મિજાજ: ગુજરાતી સાહિત્ય સંગીત પર્વ અંતર્ગત અનેકવિધ પ્રવૃત્તિઓ થઇ રહી છે ત્યારે કચ્છના પુરસ્કૃત લેખિકા શ્રીમતી અરુણાબેન ઠક્કર ના ‘લટઈ – ૨’ ઈ-બુકને કૃપ પબ્લિશિંગ દ્વારા વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યું. ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા ભુજ ખાતે આ પુસ્તકનો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બેસ્ટ સેલર લેખક ડો. કૃપેશ ઠક્કર, પુરસ્કૃત બાળ સર્જકો વાચા ઠક્કર અને પર્વ ઠક્કર તથા લેખિકા ડો. પૂજા ઠક્કરને હસ્તે પુસ્તકના મુખપૃષ્ઠનું અનાવરણ થયું. આ કાર્યક્રમમાં ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ કલબના સદસ્યો તથા કૃપ પબ્લિશિંગના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

‘ગુજરાતી મિજાજ’ અંતર્ગત ડી.વી. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ માણ્યું ‘અર્જુન ઉવાચ’ મોટિવેશનલ સેમિનાર

ગિવ વાચા ફાઉન્ડેશન, ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ, કૃપ મ્યુઝિક અને ઇઝી આઈ ડી દ્વારા આયોજિત ‘ગુજરાતી મિજાજ: ગુજરાતી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ’ ની દ્વિતિય આવૃત્તિનો શુભારંભ થયો છે ત્યારે આ પર્વના બીજા દિવસે અંજારની શેઠ ડી.વી. સરકારી ઉ. મા. શાળા ખાતે ‘અર્જુન ઉવાચ’ મોટિવેશનલ સેમિનારનું આયોજન થયું. જેમાં ગુ. શિ. સેવા વર્ગ-૨ ના આચાર્યા શ્રીમતી સુનિતાબેન દરિયાણી, સુપરવાઈઝર શ્રી ઉમેશભાઈ વ્યાસ અને વહીવટી વડા શ્રી ભરતસિંહ જાડેજા એ ગીતકાર, સંગીતકાર અને બેસ્ટ સેલર લેખક ડૉ. કૃપેશ ઠક્કર સાથે આયુર્વેદ તબીબ અને લેખિકા ડૉ. પૂજા ઠક્કરનું સ્વાગત સત્કાર કર્યું.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

વિશ્વના સૌથી લાંબા ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ ‘ગુજરાતી મિજાજ: ગુજરાતી સાહિત્ય સંગીત પર્વ’ નો કચ્છ ખાતે થયો આરંભ

વિશ્વના સૌથી લાંબા ચૌદ દિવસીય ગુજરાતી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ ‘ગુજરાતી મિજાજ’ ની બીજી આવૃત્તિનો શુભારંભ ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, કૃપ પબ્લિશિંગ, ઇઝી આઈ ડી તેમજ ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) દ્વારા ભુજના ‘ક્રિએટિવ કોન્સેપ્ટ કોચિંગ સેન્ટર’ ખાતે થયો. આ ઉત્સવ 11 ઓગસ્ટથી શરૂ થઈ 24 ઓગસ્ટ ગુજરાતી ભાષા દિવસ સુધી ઉજવાય છે. આ પ્રસંગે ગીતકાર, સંગીતકાર અને લેખક ડૉ. કૃપેશ ઠક્કર, લેખિકા અને ફિલ્મ નિર્માતા ડૉ. પૂજા ઠક્કર, પુરસ્કૃત બાળ સર્જકો પર્વ ઠક્કર અને વાચા ઠક્કર તેમજ જી.એલ.સી.સી. ભુજના પ્રમુખ પુરસ્કૃત લેખિકા અરુણાબેન ઠક્કર સાથે પ્રોજેક્ટ કોર્ડીનેટર અંકિતબેન ઠક્કર અને બિંદીબેન ઠક્કર એ ‘ગુજરાતી મિજાજ’ ની છબીનાં અનાવરણ સાથે આ પર્વનું શુભારંભ કર્યું.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચાર

કચ્છના રમણીય સ્થળોની વાતો કરશે લેખિકા મીનાક્ષી સોની ‘ધન્ય ધરા ગુજરાતની’ કૉલમ માં

‘ગુજરાતી મિજાજ’ દ્વારા વિશ્વભરના કચ્છી અને ગુજરાતી લેખકોને કલમ થકી વૈશ્વિક સ્તરે ભાષાની સેવા કરવા માટે અવસર મળી રહ્યો છે ત્યારે આગામી કૉલમ માટે ગુજરાતી મિજાજની ચયન કમિટી દ્વારા માંડવી કચ્છના લેખિકા મીનાક્ષી સોની ની પસંદગી ‘ધન્ય ધરા ગુજરાતની’ કૉલમ માટે કરવામાં આવી છે.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચાર

વોકેશનલ કોર્સના ઓરીએન્ટેશન સેમિનારમાં કચ્છના વિવિધ શહેરો માંથી વિદ્યાર્થીઓ જોડાયા.  

કચ્છ યુનિવર્સિટીએ ગિવ વાચા ફાઉન્ડેશનના વિવિધ કૌશલ્ય વર્ધક વોકેશનલ કોર્સને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ત્યારે પૂર્વ તૈયારી રૂપે સમગ્ર કચ્છમાં થયેલા સર્વેમાં ચોંકાવનારું પરિણામ મળ્યું. કોલેજના વિદ્યાર્થીઓ સાથે વિવિધ શહેરોમાંથી ગૃહિણીઓ અને વડીલો એ પણ બહોળી સંખ્યામાં નામ નોંધાવ્યા.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

ગુરુ પૂર્ણિમા પર્વ પ્રસંગે ‘ગુરુ પૂજા’ સાથે જી.એલ.સી.સી. કચ્છની કમિટીનું થયું ગઠન

ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગિવ વાચા ફાઉન્ડેશન અને ગ્લોબલ લિટરેચર ઍન્ડ કલ્ચરલ ક્લબ કચ્છ (જી.એલ.સી.સી. કચ્છ) ના સંયુક્ત ઉપક્રમે ‘ગુરુ પૂર્ણિમા પર્વ’ કાર્યક્રમનું આયોજન થયું. જેમાં લેખક ડૉ. કૃપેશ ઠક્કર એ તેમની ‘ભગવદ ગીતા ફોર લાઈફ’ પુસ્તક શ્રેણી માટેના પ્રેરણા સ્તોત્ર એવા મહાભારતના અર્જુનની ગુરુ રૂપે શબ્દો થકી વંદના કરી.

Read More
સમાચારગુજરાતી મિજાજ વિશેષસાહિત્ય

‘કચ્છી યુવા કવિ સંમેલન’ માં કવિઓએ કરી શબ્દોથી ‘ગુરુવંદના’

કચ્છી સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ‘કચ્છી યુવા કવિ સંમેલન’નું અંજાર ખાતે આયોજન થયું. આ અવસરે સંયોજક અને સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર એ અકાદમી પ્રમુખ શ્રી ભાગ્યેશભાઈ જ્હા અને મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહ જાદવ પ્રત્યે આભાર વ્યક્ત કરી શબ્દવંદના સાથે કાર્યક્રમની શરૂઆત કરી.

Read More