કચ્છના રમણીય સ્થળોની વાતો કરશે લેખિકા અરુણા ઠક્કર ‘ધન્ય ધરા ગુજરાતની’ કૉલમમાં
‘ગુજરાતી મિજાજ’ દ્વારા વિશ્વભરના કચ્છી અને ગુજરાતી લેખકોને કલમ થકી વૈશ્વિક સ્તરે ભાષાની સેવા કરવા માટે અવસર મળી રહ્યો છે ત્યારે આગામી કૉલમ માટે ગુજરાતી મિજાજની ચયન કમિટી દ્વારા ભુજ કચ્છના લેખિકા અરુણા ઠક્કર ની પસંદગી ‘ધન્ય ધરા ગુજરાતની’ કૉલમ માટે કરવામાં આવી છે. તેઓ પોતાની કલમ થકી ‘કચ્છ દર્શન’ કૉલમ અંતર્ગત કચ્છના ઐતિહાસિક, ધાર્મિક અને રમણીય સ્થળો વિષેની માહિતી અને રોચક વાતો કરશે. આ કૉલમ માં એ સ્થળોનું મહત્વ તેમજ તેમના અસ્તિત્વ સાથે જોડાયેલી કથાઓ અને કિસ્સાઓ પણ જોવા મળશે. આ પ્રસંગે ગુજરાતી મિજાજની ચયન કમિટીના પ્રતિનિધિએ જણાવ્યું કે “ધન્ય ધરા ગુજરાતની કૉલમ થકી અમે વિશ્વભરમાં વસતા ગુજરાતી લોકો સુધી શબ્દોને મારફતે ગુજરાતની માટીની મહેક પહોંચાડીશું. ઘર બેઠા જ તેઓ ગુજરાતની ગરિમા સમાન સ્થળો વિષે જાણીને વાંચન થકી વિહાર કરી શકે એ ઉદેશ્યથી આ કૉલમ પ્રકાશિત કરીએ છીએ. આ કૉલમમાં વિવિધ લેખકો સાથે મળીને ગુજરાતની ધરોહરની વંદના કરશે. આ શબ્દ યાત્રામાં ભુજ કચ્છના લેખિકા અરુણાબહેન ઠક્કરને અમે આવકારીએ છીએ. તેમની કલમ સાથે વાચકોને કચ્છ દર્શન કરવાનો અનેરો લ્હાવો મળશે.”
Read More