ડૉ. પૂજા ઠક્કર

ડૉ. પૂજા ઠક્કર

લેખિકા તરીકે ડૉ. પૂજા ઠક્કર નું પુસ્તક ‘ઘરેલુ આયુર્વેદિક ઉપચાર’ વિશ્વના સૌથી લાંબા સાહિત્ય ઉત્સવ ‘કૃપ લિટરેચર ફેસ્ટિવલ’ અંતર્ગત કૃપ પબ્લિશિંગ દ્વારા વૈશ્વિક સ્તરે પ્રકાશિત થયું છે. આયુર્વેદ તબીબ, મ્યુઝિક થેરાપીસ્ટ અને વુમન એન્ડ ચાઇલ્ડ કાઉન્સેલર તરીકે તેમણે ગુજરાત અને કચ્છના વિવિધ શહેરો, ગામડાઓ, સંસ્થાઓ, અનાથાશ્રમ તેમજ વૃદ્ધાશ્રમ ખાતે 150 થી પણ વધુ હેલ્થ કેમ્પ, વર્કશોપ અને સેમિનારમાં સેવા આપેલી છે. ગિવ વાચા ફાઉન્ડેશન ના કોમ્યુનિટી હેલ્થ ડાયરેક્ટર તરીકે તેઓ 50 થી પણ વધુ પ્રોજેક્ટમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. હાલમાં જ તેમના દ્વારા નિર્માણ પામેલા વિવિધ કૌશલ્ય વર્ધક સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ કચ્છ યુનિવર્સિટી દ્વારા મંજૂર થયા છે. તેઓ પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને આયુર્વેદ અને મ્યુઝિક થેરાપીની તાલીમ આપે છે. આ ઉપરાંત તેઓ ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ – કચ્છ ના ઉપપ્રમુખ અને હેલ્થ એમ્બેસેડર તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે.

ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

વિશ્વના સૌથી લાંબા ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ ‘ગુજરાતી મિજાજ: ગુજરાતી સાહિત્ય સંગીત પર્વ’ નો કચ્છ ખાતે થયો આરંભ

વિશ્વના સૌથી લાંબા ચૌદ દિવસીય ગુજરાતી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ ‘ગુજરાતી મિજાજ’ ની બીજી આવૃત્તિનો શુભારંભ ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, કૃપ પબ્લિશિંગ, ઇઝી આઈ ડી તેમજ ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) દ્વારા ભુજના ‘ક્રિએટિવ કોન્સેપ્ટ કોચિંગ સેન્ટર’ ખાતે થયો. આ ઉત્સવ 11 ઓગસ્ટથી શરૂ થઈ 24 ઓગસ્ટ ગુજરાતી ભાષા દિવસ સુધી ઉજવાય છે. આ પ્રસંગે ગીતકાર, સંગીતકાર અને લેખક ડૉ. કૃપેશ ઠક્કર, લેખિકા અને ફિલ્મ નિર્માતા ડૉ. પૂજા ઠક્કર, પુરસ્કૃત બાળ સર્જકો પર્વ ઠક્કર અને વાચા ઠક્કર તેમજ જી.એલ.સી.સી. ભુજના પ્રમુખ પુરસ્કૃત લેખિકા અરુણાબેન ઠક્કર સાથે પ્રોજેક્ટ કોર્ડીનેટર અંકિતબેન ઠક્કર અને બિંદીબેન ઠક્કર એ ‘ગુજરાતી મિજાજ’ ની છબીનાં અનાવરણ સાથે આ પર્વનું શુભારંભ કર્યું.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચાર

વોકેશનલ કોર્સના ઓરીએન્ટેશન સેમિનારમાં કચ્છના વિવિધ શહેરો માંથી વિદ્યાર્થીઓ જોડાયા.  

કચ્છ યુનિવર્સિટીએ ગિવ વાચા ફાઉન્ડેશનના વિવિધ કૌશલ્ય વર્ધક વોકેશનલ કોર્સને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ત્યારે પૂર્વ તૈયારી રૂપે સમગ્ર કચ્છમાં થયેલા સર્વેમાં ચોંકાવનારું પરિણામ મળ્યું. કોલેજના વિદ્યાર્થીઓ સાથે વિવિધ શહેરોમાંથી ગૃહિણીઓ અને વડીલો એ પણ બહોળી સંખ્યામાં નામ નોંધાવ્યા.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

ગુરુ પૂર્ણિમા પર્વ પ્રસંગે ‘ગુરુ પૂજા’ સાથે જી.એલ.સી.સી. કચ્છની કમિટીનું થયું ગઠન

ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગિવ વાચા ફાઉન્ડેશન અને ગ્લોબલ લિટરેચર ઍન્ડ કલ્ચરલ ક્લબ કચ્છ (જી.એલ.સી.સી. કચ્છ) ના સંયુક્ત ઉપક્રમે ‘ગુરુ પૂર્ણિમા પર્વ’ કાર્યક્રમનું આયોજન થયું. જેમાં લેખક ડૉ. કૃપેશ ઠક્કર એ તેમની ‘ભગવદ ગીતા ફોર લાઈફ’ પુસ્તક શ્રેણી માટેના પ્રેરણા સ્તોત્ર એવા મહાભારતના અર્જુનની ગુરુ રૂપે શબ્દો થકી વંદના કરી.

Read More
સમાચારગુજરાતી મિજાજ વિશેષસાહિત્ય

‘કચ્છી યુવા કવિ સંમેલન’ માં કવિઓએ કરી શબ્દોથી ‘ગુરુવંદના’

કચ્છી સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ‘કચ્છી યુવા કવિ સંમેલન’નું અંજાર ખાતે આયોજન થયું. આ અવસરે સંયોજક અને સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર એ અકાદમી પ્રમુખ શ્રી ભાગ્યેશભાઈ જ્હા અને મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહ જાદવ પ્રત્યે આભાર વ્યક્ત કરી શબ્દવંદના સાથે કાર્યક્રમની શરૂઆત કરી.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

‘કચ્છી મિજાજ’ અંતર્ગત વીરા ગામના ૧૫૦ બાળકોએ આપી ‘સનાતન સંસ્કાર સિંચન પરીક્ષા’

ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, ગુજરાતી મિજાજ, કૃપ પબ્લિશિંગ તથા ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) ના સંયુક્ત ઉપક્રમે ઉજવાઇ રહેલા દસ દિવસીય કચ્છી સાહિત્ય સંગીત પર્વ “કચ્છી મિજાજ” અંતર્ગત વીરા પંચાયત પ્રાથમિક શાળા, અંજાર ખાતે ‘સનાતન સંસ્કાર સિંચન પરીક્ષા’ નું આયોજન થયું. જેનો ૧૫૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ એ લાભ લીધો.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

કચ્છી કવિઓ અને સાહિત્યકારો માટે આર્થિક સહાયની થઈ જાહેરાત : કચ્છી મિજાજ વિશેષ

હાલમાં અષાઢી બીજ નિમિત્તે ચાલી રહેલા દસ દિવસીય કચ્છી સાહિત્ય અને સંગીત પર્વ ‘કચ્છી મિજાજ’ અંતર્ગત ધ કૃપ યુનિવર્સ ખાતે ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને કૃપ પબ્લિશિંગ દ્વારા સાહિત્ય સંવર્ધન કાર્યક્રમનું આયોજન થયું. આ પ્રસંગે અતિથિ વિશેષ રૂપે અમેરિકાથી ગુજરાતી મિજાજના પ્રતિનિધિ તેમજ અમદાવાદથી ઇઝી આઈડી ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમનો કચ્છની સાહિત્યપ્રેમી પ્રજા, સાહિત્યકારો અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) કચ્છના સભ્યોએ લાભ લીધો. કાર્યક્રમની શરૂઆતમાં પર્વ ફ્યૂઝન બેન્ડના કલાકારો પર્વ ઠક્કર, વાચા ઠક્કર, ડૉ. પૂજા અને ડૉ. કૃપેશ એ કચ્છી રોક સોંગ ‘કચ્છી મિજાજ’ રજૂ કર્યો. જેને શ્રોતાઓએ ખૂબ પસંદ કર્યો તેમજ બાળકો ઝૂમી ઉઠયા.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

“કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ’ નો હવન સાથે થયો શુભારંભ | સાહિત્યકારો માટે થઈ મોટી જાહેરાત!

હાલમાં કચ્છી નવા વર્ષ નિમિત્તે ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, ઇઝી આઈ ડી અને કૃપ પબ્લિશિંગ દ્વારા ‘કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ’ નો કૃપ ગુરુકુલ ખાતે હવન સાથે ઉજવાયો શુભારંભ સમારોહ. જેમાં સંસ્થાના ટ્રસ્ટીઓ ડૉ. શશીકાંત ઠક્કર અને શ્રીમતી નયનાબેન ઠક્કર સાથે ફેસ્ટિવલ ડાયરેક્ટર, ગીતકાર, સંગીતકાર, ગાયક અને ફિલ્મ નિર્માતા ડૉ. કૃપેશ ઠક્કર અને કૃપ ગુરુકુલના આચાર્યા, હેલ્થ એંડ કોમ્યુનિટી ડાયરેક્ટર ડૉ. પૂજા ઠક્કર એ પંચેશ્વરની વંદના સાથે હવનનો લાભ લીધો. આ શુભારંભ સમારોહમાં ગ્લોબલ લિટરેચર એંડ કલ્ચરલ ક્લબના સદસ્યો અને એમ્બેસેડર બાળકો પણ હાજર રહ્યા હતા.

Read More
આરોગ્યગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

વર્લ્ડ ક્લબફૂટ ડે નિમિત્તે અસરગ્રસ્ત બાળકોના શુભ સ્વાસ્થ્ય માટે થયું ભગવદ્ ગીતા પઠન

સમગ્ર વિશ્વમાં 3 જૂન વિશ્વ ક્લબફૂટ દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ હેલ્થ એ અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ નામના વૈશ્વિક જાગૃતી અભિયાનની સાતમી વર્ષગાંઠની અનેરી ઉજવણી કરી.

Read More
સાહિત્યગુજરાતી મિજાજ વિશેષમનોરંજન

ગુજરાત દિવસ વિશેષ: કૃપ પબ્લિશિંગ ‘ગુજરાતી મિજાજ’ સાથે ભાષાની સેવામાં

ગુજરાતનો સ્થાપના દિવસ એ ગુજરાતી અસ્મિતાનો પર્વ છે. કારણકે ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાતની એક સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થાપના થઈ હતી. ત્યારથી ગુજરાત એ ભારત માતાનો જમણો હાથ બની દેશમાં ક્રાંતિ અને ઉન્નતિના નવા શિખરો સર કરતો આવ્યો છે, તો ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને ગુજરાતની ધરોહર એ ભારત માતાના હાથના કંકણ સમા આભૂષણો બની સૌંદર્યનો પ્રતિક બન્યા છે.  આવી ગૌરવવંતી ગાથા સાથે વર્ષોથી સંગીત, કલા, ફિલ્મો અને સાહિત્ય ક્ષેત્રે કાર્યરત રહેલી ગુજરાતની જાણીતી રેકોર્ડ લેબલ કંપની કૃપ મ્યુઝિક, કૃપ ફિલ્મ્સ અને કૃપ પબ્લિશિંગ એ પોતાના ગુજરાતી ભાષા ને લગતા સર્વે કાર્યોને એક છત્ર નીચે લાવતા એક વેબ પોર્ટલનું નિર્માણ કરી ગુજરાત દિવસ ના રોજ જનસામાન્ય માટે લોકાર્પિત કર્યું. જેને ‘ગુજરાતી મિજાજ’ નામ આપવામાં આવ્યો.

Read More
સમાચારધર્મ/અધ્યાત્મસાહિત્ય

બાળ લેખકો પર્વ ઠક્કર અને વાચા ઠક્કર ના રામાયણ આધારિત પુસ્તકોનું થયું વિમોચન

હાલમાં ગિવ વાચા સેન્ટર અંજાર ખાતે હનુમાન જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકો દ્વારા હનુમાન ચાલીસાના પઠન બાદ શબ્દો થકી ભગવાનની વંદના કરતાં બાળ લેખકો છ વર્ષીય પર્વ ઠક્કર ના ‘રામાયણ એક્ટિવિટી બુક’ અને બાર વર્ષીય વાચા ઠક્કર ના ‘રામાયણ વર્ડ સર્ચ’ પુસ્તકનું વિમોચન થયું.

Read More