ડૉ. પૂજા ઠક્કર

ડૉ. પૂજા ઠક્કર

લેખિકા તરીકે ડૉ. પૂજા ઠક્કર નું પુસ્તક ‘ઘરેલુ આયુર્વેદિક ઉપચાર’ વિશ્વના સૌથી લાંબા સાહિત્ય ઉત્સવ ‘કૃપ લિટરેચર ફેસ્ટિવલ’ અંતર્ગત કૃપ પબ્લિશિંગ દ્વારા વૈશ્વિક સ્તરે પ્રકાશિત થયું છે. આયુર્વેદ તબીબ, મ્યુઝિક થેરાપીસ્ટ અને વુમન એન્ડ ચાઇલ્ડ કાઉન્સેલર તરીકે તેમણે ગુજરાત અને કચ્છના વિવિધ શહેરો, ગામડાઓ, સંસ્થાઓ, અનાથાશ્રમ તેમજ વૃદ્ધાશ્રમ ખાતે 150 થી પણ વધુ હેલ્થ કેમ્પ, વર્કશોપ અને સેમિનારમાં સેવા આપેલી છે. ગિવ વાચા ફાઉન્ડેશન ના કોમ્યુનિટી હેલ્થ ડાયરેક્ટર તરીકે તેઓ 50 થી પણ વધુ પ્રોજેક્ટમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. હાલમાં જ તેમના દ્વારા નિર્માણ પામેલા વિવિધ કૌશલ્ય વર્ધક સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ કચ્છ યુનિવર્સિટી દ્વારા મંજૂર થયા છે. તેઓ પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને આયુર્વેદ અને મ્યુઝિક થેરાપીની તાલીમ આપે છે. આ ઉપરાંત તેઓ ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ – કચ્છ ના ઉપપ્રમુખ અને હેલ્થ એમ્બેસેડર તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે.

આરોગ્યગુજરાતી મિજાજ વિશેષસમાચાર

ડૉ. કૃપેશ ઠક્કર ગિટાર અને ગીતા લઈ ‘મ્યુઝિક થેરપી ફોર ઓલ’ અભિયાન માટે કરે છે ભારત ભ્રમણ!

એક તરફ જ્યાં માનસિક તણાવ, ડિપ્રેશન અને આપઘાતના કિસ્સાઓ વૈશ્વિક સમસ્યા બન્યા છે. ત્યારે ‘વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ’ થી ડૉ. કૃપેશ ઠક્કર ‘અર્જુન’ એ સંગીતની મદદથી સર્વાંગી સ્વાસ્થ્ય જાળવવા માટે ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ થકી સેવાનો અભિયાન શરૂ કર્યો છે. કે જેમાં તેઓ 50 દિવસ સુધી ભારતના દિલ્લી, મુંબઈ, બેંગલોર, અયોધ્યા, વૃંદાવન, મથુરા સહિતના 25થી પણ વધુ શહેરોમાં એક મિશન ‘લેટ ધ મ્યુઝિક હિલ’ સાથે વ્યક્તિગત અને સામૂહિક મ્યુઝિક થેરાપીના સેશન થકી ઉંમર, જાતિ કે સામાજિક ભેદભાવ વિના મનુષ્ય, પ્રકૃતિ અને પ્રાણીઓની સેવા કરી રહ્યા છે.

Read More
ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસમાચાર

શસ્ત્ર અને શાસ્ત્ર પૂજા સાથે થયો યજ્ઞ અને મ્યુઝિક થેરાપીના અનેરા પ્રયોગ

હાલમાં વિજયા દશમી નિમિતે ગિવ વાચા સેન્ટર કચ્છ ખાતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજા સાથે યજ્ઞ અને મ્યુઝિક થેરાપીના અનેરા પ્રયોગ થયા. જેમાં ભારત યાત્રાએ નીકળેલા મ્યુઝિક થેરાપીસ્ટ ડૉ. કૃપેશ ઠક્કર એ બાળકો, વાલીઓ અને વડીલોને વેદમંત્રો અને સંગીતના વિજ્ઞાનની સમજ આપી. કાર્યક્રમની શરૂઆતમાં વેદોક્ત શાંતિપાઠ સાથે પંચેશ્વર ભગવાન, શ્રીમદ્ ભગવદ્ ગીતા, શ્રી રામ ચરિત માનસ, શિવ પુરાણ, અને ગિટારની પૂજા થઈ. ત્યારબાદ તબીબ પરિવારએ ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ થકી સમાજ સેવા કરવાનો સંકલ્પ લીધો.

Read More
આરોગ્યગુજરાતી મિજાજ વિશેષસમાચાર

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ થી ડૉ. કૃપેશ એ માતૃભૂમિ કચ્છથી શરૂ કરી ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’.  

તા. ૧૦ ઓકટોબર, ૨૦૨૪ ના રોજ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ પ્રસંગે ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ નું અંજાર કચ્છના કૃપ ગુરુકુલથી શુભારંભ થયું છે. જેમાં ભારતના બેસ્ટ મ્યુઝિક થેરાપીસ્ટ તરીકે જાણીતા ડૉ. કૃપેશ ઠક્કર ‘અર્જુન’ મ્યુઝિક થેરાપીની સ્વાસ્થ્ય પર થતી હકારાત્મક અસરોથી અવગત કરાવવા ૫૦ દિવસમાં ભારતના ૨૫ શહેરોમાં એક મિશન ‘લેટ ધ મ્યુઝિક હિલ’ સંગીતથી સારવારની પહેલ લઈને  ‘વસુધૈવ કુટુંબકમ’ ની ભાવના સાથે આગેકૂચ કરી છે.

Read More
આરોગ્યગુજરાતી મિજાજ વિશેષસમાચાર

અષ્ટમીના શુભ અવસરે કુમારીકાઓ ના આશીર્વાદ સાથે થયું ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ નું પ્રથમ સત્ર

હાલમાં જ્યારે ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ હેલ્થ દ્વારા આયોજિત ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ ની પચાસ દિવસ-પચ્ચીસ શહેરો અને એક મિશન ‘લેટ ધ મ્યુઝિક હિલ’ ની ભારત યાત્રાનો કચ્છથી શુભારંભ થયો છે. ત્યારે પ્રથમ દિવસે મ્યુઝિક થેરાપીનો પ્રથમ સત્ર અંજારના અહલ્યા કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ સાથે યોજાયો.

Read More
સમાચાર

ગજવાણી કોલેજ ઓફ નર્સિંગમાં પર્વ ફ્યૂઝન બેન્ડ સાથે થઈ ગણેશ ઉત્સવની ઉજવણી

હાલમાં આદિપુરની ગજવાણી કોલેજ ઓફ નર્સિંગ ખાતે ગણેશ ઉત્સવ પ્રસંગે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન થયું. જેમાં ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશ ઠક્કર, ગાયિકા અને ફિલ્મ નિર્માતા ડૉ. પૂજા ઠક્કર તથા બાળ કલાકારો પર્વ ઠક્કર અને વાચા ઠક્કરના ‘પર્વ ફ્યૂઝન બેન્ડ’ નું સંગીતમય કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે કોલેજના ટ્રસ્ટી શ્રી જયભાઇ હેમનાની, આચાર્યા શ્રીમતી નિધિબેન શર્મા તથા શ્રી નાનાલાલભાઈ સત્રા અને શ્રીચંદભાઈ તલરેજા સહિત કોલેજ પરિવારના અન્ય સદસ્યો પણ હાજર રહ્યા હતા.

Read More
આરોગ્યકૉલમ: આયુર્વેદની અટારીગુજરાતી મિજાજ વિશેષ

આપની પ્રકૃતિ કઈ છે? વાત, પિત્ત કે કફ? |સ્વસ્થ રહેવા માટે પહેલા આપણી પ્રકૃતિ ઓળખતા શીખીએ. | આયુર્વેદની અટારી

શરીર, મન અને આત્માનું વિજ્ઞાન એટલે આયુર્વેદ. કે જેમાં આ ત્રણેય તત્વોની સુસાધ્યતા થકી સ્વસ્થ અને દીર્ઘાયુ રહી શકાય એનું રહસ્ય છે. આ ત્રણ તત્વોમાં વાત, પિત્ત અને કફ એ પ્રકૃતિના ત્રણ દોષ છે જે સ્વાસ્થ્ય જાળવી રાખે છે. હવે કોઈ કારણસર જ્યારે આ દોષની અસુમતુલા સર્જાય ત્યારે એ કોઈને કોઈ રોગના સ્વરૂપે બહાર આવે છે. માટે આયુર્વેદ પ્રાથમિકપણે રોગના લક્ષણો કરતાં તેના ઉદ્ભવના કારણ પર મુખ્યરૂપથી કાર્ય કરે છે. ‘આયુર્વેદની અટારી’ થકી આપણે આયુર્વેદની પ્રાથમિક સમજ મેળવી અને સ્વસ્થ રહેવા અને રોગ નિવારવા માટેના ઉપાયો જાણીશું. 

Read More
ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસમાચાર

‘ગૂંજે ગીતા શતક મહોત્સવ’ સાથે પર્વ ફ્યૂઝન બેન્ડના ‘ગિટાર પર ભગવદ્ ગીતા’ કાર્યક્રમની થઈ સદી

ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, કૃપ ગુરુકુલ, ઇઝી આઈડી અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ – કચ્છ ના સંયુક્ત ઉપક્રમે અંજાર ખાતે ‘ગૂંજે ગીતા શતક મહોત્સવ’ નો જિલ્લા કક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આ ઉત્સવમાં પર્વ ફ્યૂઝન બેન્ડના ‘ગિટાર પર ભગવદ્ ગીતા’ ના સો જેટલા કાર્યક્રમો પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી થઈ. જેમાં અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, ગિવ વાચા સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર, વરિષ્ઠ સાહિત્યકાર ડૉ. રમેશ ભટ્ટ, માનવતા ગ્રૂપના અગ્રણી શ્રી ગોવિંદભાઇ દનીચા, વરિષ્ઠ શિક્ષક શ્રી એન. કે. ધોરિયા, ડી. વી. હાઇસ્કૂલના સુપરવાઇઝર શ્રી ઉમેશભાઈ વ્યાસ અને શ્રી હરિભાઇ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.

Read More
આરોગ્યકૉલમ: આયુર્વેદની અટારીગુજરાતી મિજાજ વિશેષ

સ્વસ્થ રહેવા આયુર્વેદિક ઉપચારની સમજણ આપશે ડૉ. પૂજા ઠક્કર ‘આયુર્વેદની અટારી’ કૉલમમાં

વૈશ્વિક સ્તરે ભાષા અને સાહિત્ય થકી સેવા કરવા અમેરિકાથી સંચાલિત વેબ પોર્ટલ ‘ગુજરાતી મિજાજ’ પર લેખકો અને સાહિત્યકારો કલમ થકી સેવા કરી રહ્યા છે ત્યારે આગામી કૉલમ માટે ગુજરાતી મિજાજની ચયન કમિટી એ સતત દસ વર્ષથી સ્વાસ્થ્ય, સંગીત અને સમાજ સેવા ક્ષેત્રે વૈશ્વિક સ્તરે સમર્પિત આયુર્વેદ તબીબ, ગર્ભ સંસ્કાર ટ્રેનર, મ્યુઝિક થેરાપીસ્ટ અને વુમન એન્ડ ચાઈલ્ડ હેલ્થ કાઉન્સેલર ડૉ. પૂજા ઠક્કર ને ‘આયુર્વેદની અટારી’ કૉલમ થકી જન સામાન્યને સ્વાસ્થ્ય જાળવવા આયુર્વેદિક ઉપચાર અંગે માહિતગાર કરવા આવકાર્યા છે. આ પ્રસંગે કમિટીના અધ્યક્ષ એ કહ્યું કે ‘વર્ષ 2014 થી ગિવ વાચા ફાઉન્ડેશનના હેલ્થ એન્ડ કોમ્યુનિટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ. પૂજા એ ગુજરાતના વિવિધ શહેરોમાં 150 થી પણ વધુ વર્કશોપ અને સેમિનાર મારફતે સેવા કરેલ છે તો વૈશ્વિક સ્તરે ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ જેવા વિવિધ અભિયાનો થકી પણ જનજાગૃતિ ફેલાવવા તેઓ યોગદાન આપી રહ્યા છે ત્યારે ગુજરાતી મિજાજ માધ્યમે કલમ થકી સેવા કરવા માટે એમને આવકારીએ છીએ. ‘આયુર્વેદની અટારી’ કૉલમ થકી લોકો રોજિંદા જીવનમાં સ્વાસ્થ્ય જાળવવા આયુર્વેદના ઉપચાર સાથે પરિચિત થઈ શકે એ જ અમારો ઉદેશ્ય છે.” તો ડૉ. પૂજા એ કહ્યું કે “વ્યક્તિની અસ્વસ્થતા માટે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓ જવાબદાર હોય છે. એ સમસ્યાઓ સરળ હોય કે જટિલ, આયુર્વેદમાં દરેક પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યા માટે સચોટ અને કાર્યરત ઉપાય છે જ! જેનાથી લોકો સામાન્યતઃ અજાણ હોય છે. એવામાં ‘આયુર્વેદની અટારી’ કૉલમ થકી જનજાગૃતિ કેળવવાનો મને આનંદ છે. આ ઉમદા વિચાર માટે ‘ગુજરાતી મિજાજ’ ની સમગ્ર ટીમનો હું અભિવાદન કરું છું.”

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

વરિષ્ઠ સાહિત્યકાર શ્રી મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ એ આપી ‘ગુજરાતી મિજાજ: ગુજરાતી સાહિત્ય સંગીત પર્વ’ ને વિશેષ શુભેચ્છા

ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, ઇઝી આઈડી અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ કલબ દ્વારા વિશ્વના સૌથી લાંબા ગુજરાતી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ ‘ગુજરાતી મિજાજ’ નો શુભારંભ કચ્છ ખાતે થયું ત્યારે કચ્છના વરિષ્ઠ સાહિત્યકાર શ્રી મદનકુમાર અંજારિયા એ ફેસ્ટિવલ ડાયરેક્ટર ડૉ. કૃપેશ ઠક્કર અને ડૉ. પૂજા ઠક્કર ને વિશેષ શુભેચ્છા સાથે આશીર્વાદ આપ્યા. ‘ગુજરાતી મિજાજ’ ની છબીનાં અનાવરણ સાથે તેમણે આ સાહિત્ય સંગીત પર્વના ભવ્ય આયોજનની સરાહના કરી.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

‘ગુજરાતી મિજાજ’ અંતર્ગત ડી.વી. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ માણ્યું ‘અર્જુન ઉવાચ’ મોટિવેશનલ સેમિનાર

ગિવ વાચા ફાઉન્ડેશન, ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ, કૃપ મ્યુઝિક અને ઇઝી આઈ ડી દ્વારા આયોજિત ‘ગુજરાતી મિજાજ: ગુજરાતી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ’ ની દ્વિતિય આવૃત્તિનો શુભારંભ થયો છે ત્યારે આ પર્વના બીજા દિવસે અંજારની શેઠ ડી.વી. સરકારી ઉ. મા. શાળા ખાતે ‘અર્જુન ઉવાચ’ મોટિવેશનલ સેમિનારનું આયોજન થયું. જેમાં ગુ. શિ. સેવા વર્ગ-૨ ના આચાર્યા શ્રીમતી સુનિતાબેન દરિયાણી, સુપરવાઈઝર શ્રી ઉમેશભાઈ વ્યાસ અને વહીવટી વડા શ્રી ભરતસિંહ જાડેજા એ ગીતકાર, સંગીતકાર અને બેસ્ટ સેલર લેખક ડૉ. કૃપેશ ઠક્કર સાથે આયુર્વેદ તબીબ અને લેખિકા ડૉ. પૂજા ઠક્કરનું સ્વાગત સત્કાર કર્યું.

Read More